________________
૧૨૨
સમાધિના વિજયતિલકથી શોભતા આચાર્ય શ્રી ધુરન્ધરસૂરિ મહારાજ
C 10216 Tonech
વિ.સં. ૨૦૩૪ની સાલ. વૈશાખ મહિનો. વદ બારસની વાત છે. અમદાવાદ-રીલીફ રોડ-પાંજરાપોળની શ્રી વિજયનેમિસૂરિ જ્ઞાનશાળાના હૉલમાં પેસતાં જમણી બાજુની પાટ ઉપર આચાર્ય શ્રી ધર્મધુરન્ધરસૂરિ મહારાજ સૂતા છે. ઉંમર માત્ર ૬૦ વર્ષની છે. બહુ મોટી ઉંમર ન કહેવાય. વયના પરિપાકથી પ્રાપ્ત થયેલી મૂડીને વહેંચવાના દિવસો કહેવાય.
ત્યારે જ તેઓએ પરલોકે પ્રયાણ કર્યું. જીવનને ગુણોની સુવાસથી મઘમઘતું બનાવ્યું હતું. જીવન-બાગને અનેક ઉત્તમ પુષ્પોથી જીવતો રાખ્યો હતો. જે નિયમો આજીવન પાળવાની ઇચ્છા રાખી હતી તે નિયમો છેલ્લા દિવસ સુધી પાળ્યા હતા જેમકે, પાંચ તિથિ પોરસીનો નિયમ હતો તો વૈશાખ વદિ આઠમે પોરસી કરી હતી. અરે ! બે ઓળીમાં એક-એક આયંબિલ કરવાનો નિયમ હતો એ વર્ષની ઓળીમાં કેન્સર જેવા મહાવ્યાધિ વચ્ચે પણ ચૈત્ર સુદિ આઠમે માત્ર બે દ્રવ્યનું આયંબિલ દસ મિનિટમાં કર્યું હતું. નિશ્ચયને વળગી રહેવાનો તેમનો સ્વભાવ બની ગયો હતો ! ડોળીમાં બેસવું નથી એ નિયમ પણ બરાબર પળાયો. પર્યુષણમાં પહેલોછેલ્લો ઉપવાસ, જ્ઞાનપાંચમ અને મૌન એકાદશીનો ઉપવાસ –આ બધું બરાબર અને અપવાદ વિના પળાયુ હતું. આ બધું બરાબર પળાય એ માટે તો ડૉકટરના પનારે ન પડતાં, આવા વ્યાધિમાં પણ વૈદ્યને શરણે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org