________________
૧૧૬
દઉં. ૨૯
સામાન્ય રીતે કોઇ આવી તોછડી રીત ન અપનાવે છતાં ક્યારેક આવું થતું હોય છે. તે સંભાવના સ્વીકારીને આ વાત તેઓએ નોંધી છે તે અગત્યનું છે.
(૨૦) કાજો લીધાં વિના બેસી જવાયું અને કાજો લઇ તેનાં જીવજંતુ – ક્લેવરને ઉદ્ધર્યા વિના બેસી જવાય તો એક નવકારવાળી ગણી દઉં. ૩૧
શ્રમણજીવનમાં રોજબરોજ બનતી આ ઘટના છે. તેમાં અણિશુદ્ધ સંયમ પૂર્ણ નિર્દોષ સંયમ પાળવાની તરફદારીનાં દર્શન થાય છે. અનુકરણ કરવા લાયક વાત છે.
(૨૧) પડિલેહણ કરતાં અને પ્રતિક્રમણ કરતાં મૌન રાખું, ન બોલું. જો ગુરુ મહારાજ બોલાવે તો બોલું. બીજા સાથે બોલાઇ જાય તો એક નવકારવાળી ઊભા રહીને ગણી દઉં. ૩૨
પડિલેહણ-પ્રતિક્રમણ જેવી આવશ્યક ક્રિયામાં ચિત્તની એકાગ્રતા માટે મૌન જરૂરી છે. તે માટેની જાગૃતિ રાખવા માટે આ નિયમ છે. આ નિયમ તો દરેક સાધુ -સાધ્વીમાં હોવો જરૂરી છે.
(૨૨) સૂતી વખતે સંથારો અને ઉતરપટા સિવાય કશું પાથરવું નહીં તેમજ માથે કશું મૂકવું નહીં (વીંટીયુ -કામળી વગેરે) ઓઢવાની જરૂરત હોય ત્યારે વધીને ત્રણ પડ ઓઢવા. ૩૩
શરીરની સુખશીલતાના ત્યાગના સંસ્કાર તથા ઋદ્ધિગારવ, રસગારવ અને સાતાગારવથી બચવા માટે આવા નિયમો આચરીને દેહની મૂર્છા ઉતારવા માટે સંયમજીવનમાં આ જરૂરી છે. આ નિયમથી દેહની આળપંપાળ ઘટે છે.
(૨૩) મારા માટેનું લઘુ શંકા નિવારવાનું ઉપકરણ અણપડિલેહ્યું રહે તો એક નવકારવાળી ગણી દઉં.
૩૪
વાત સાવ નાની લાગે પણ પળનોય પ્રમાદ નહીં એ જે સંયમજીવનનાં પ્રાણ સ્વરૂપ નિયમ છે તે માટેની કાળજી આમાં દેખાય છે.
(૨૪) યાવજ્જીવ સુધી લાવીને પાછા આપવા પડે તેવાં વસ્ત્ર કામળા-કામળી વાપરવા નહીં, કારણ હોય તો પણ ન વાપરવા. ૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org