SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ આ રીતે દશ માળા રોજ ગણવી. વિશેષ કારણે જયણો. ૧૩/ર પોતાના ઉપકારી પુરુષોનું નામ સ્મરણ નિત્ય કરવું એ એક ઉત્તમ પરિપાટી છે. શત્રુંજય તીર્થ તો શિરોમણિ છે; શ્રી સીમંધર ભગવાન વર્તમાનકાળે વિચરતા તીર્થકર છે; ગૌતમ મહારાજા ગુરુના પણ ગુરુ છે. પછી તેઓની પરંપરાના નામો છે. એક વાનર ઋષિ કદાચ દીક્ષા ગુરુ તરીકે ઉપકારી હોવા સંભવ છે. પછી સકળ સાધુ મહારાજાને નમસ્કાર...આ બધું સુયોગ્ય જ છે. આ નિયમ તેઓનો નિત્ય છે. (૬) હંમેશા ત્રણેય કાળ દેવવંદન કરવા. જો તે પ્રમાણે ન વાંધી શકાય તો બીજા દિવસે ઊભા ઊભા એક નવકારવાળી ગણી લઉ. ૧૨ પ્રભુ પ્રત્યેની પ્રગાઢ ભક્તિ પોષવાનો સતત યત્ન અને ક્યારેક કારણવશાત્ તેની દુષ્કરતા સ્વીકારીને પ્રાયશ્ચિત પણ દર્શાવ્યું છે. (૭) રોજ પ્રભુજીના દર્શન કરું ભૂલમાં કદાચ ન થઈ શકે તો બીજે દિવસે શાક દાળનો ત્યાગ. ૧૧ વિચારતાં લાગે કે આવું બને ! પણ પારદર્શક વ્યક્તિત્વ જેનું હોય તે તો સંભવિત તમામ ઘટનાને દૃષ્ટિમાં રાખીને વિચારે છે. ચારિત્રાચા૨ – 3 (૮) કાપડો, કામળી, સંથારો અને ચોલપટ્ટો --આ ચાર વસ્ત્ર સિવાય વધારે ન વાપણું. ૧ તીવ્ર મોક્ષાભિલાષ હોય ત્યારે અપરિગ્રહ પ્રત્યે અનુરાગ થાય અને જ્યારે મોક્ષ મેળવવાની તત્પરતા પ્રગટે ત્યારે દેહનું ભાન-ભાવ વિસરાતું જાય, ત્યારે આવો નિયમ લેવાતો હોય છે. ૯) ત્રણ પાત્રા, પાંચ પડલા, ત્રણ રસ્ત્રાણ (અન્નપટ) બે ઝોળી –-સિવાય પાત્રો ન વાપરું ? જે વાત વસ્ત્રની ઉપધિમાં છે તે જ વાત પાત્રા વગેરેમાં પણ ઝળહળતી અપરિગ્રહવૃત્તિના દર્શન થાય છે. માત્ર ગણત્રીના પાત્રામાં જ નિર્વાહ કરવાનો વિચાર તેમને ઉત્તમ શ્રમણ તરીકે એક આદર્શ સાધુ તરીકે પ્રસ્થાપિત કરે છે. ૧૧૩ _ __ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy