SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાચાર – ૧. (૧) એક પોથી, ઘોળાં પાઠાં બે, તે માટે કાપડનું વિટાણું એક. – એટલું જ રાખું. ૨૩ સામાન્ય રીતે જ્ઞાનના ક્ષેત્રે પોથી તો રાખે પણ આ મુનિવર તો એ પરિગ્રહ પણ ન રાખવો પડે તો સારું. એટલે એક જ પોથી તેની આજુબાજુની બે પાટલી તે પણ સુશોભન વિનાની સફેદ જ. તેને વીંટવાનું કાપડનું બંધન પણ એક જ. જો કે સાધુ મહારાજને વિહારમાં એક પોથી રાખવાનો રિવાજ હાલ પ્રવર્તે છે તેટલું જ. પરિગ્રહનો પણ ભાર નહીં. જીવન હળવું હળવું રાખવાનો સતત ખ્યાલ પ્રવર્તે છે. (૨) ઉઘાડે મોઢે બોલાય તો વીસ નવકાર ગણું અને વાપરતાં વાપરતાં એઠા મોંઢો - મોં ચોખ્ખું કર્યા વિના બોલાય તો એક નવકારવાળી ગણું. 80 સંયમજીવનમાં સતત ઉપયોગ એ પ્રાણ છે તે વાતની પ્રતીતિ થાય છે જાગરૂકતા રાખવાની તત્પરતાના દર્શન થાય છે. (૩) રોજ ત્રણ હજાર ગાથાનો સ્વાધ્યાય કરવો. પણ ઉપવાસના દિવસે, પારણાને દિવસે, વિહારના દિવસે, જોગ વગેરેના કામના દિવસે, કાંઈક ગ્રંથ વગેરો લખવાના દિવસે, કાંઇક બીજુ ભણવાના દિવસે, માંદા સાધુ મહારાજની સેવા કરવાના દિવસે દવા- ઔષધલેપ બનાવવાના / વાટવાના દિવસે, આલોચનાનો સ્વાધ્યાય કરવાનો હોય તે દિવસે, શરીરની નાદુરસ્તીના દિવસે, લોચ કરવાના દિવસે. આટલા દિવસે સ્વાધ્યાય (ત્રણ હજાર) ની જયણા આ મહત્ત્વના કારણ વિના એક હજાર સ્વાધ્યાય ન મૂકું જો તે દિવસે ન થાય તો વળતે દિવસે એટલો સ્વાધ્યાય કરી લઉં. ૧૩/૧ સ્વાધ્યાયની પ્રીતિ અને કરવાની તીવ્રતા છતાં સમજણપૂર્વકનો આ નિયમ લેવાયો છે. અગિયાર કારણો એવા છે કે જેમાં સ્વાધ્યાય અને તે તે કાર્યો તેમાં (પ્રાયોરિટી) અગ્રતાક્રમે તે તે કાર્યો કરવા જરૂરી છે. તેથી પહેલેથી તે તે બાબતનો ખ્યાલ આ નિયમમાં સમાવ્યો છે. જે તેમની જીવન વિષયક જાગૃતિને દર્શાવે છે. ૧૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy