________________
૧૦૪
ત્યાગ કરવાનો વિચાર લઈ આવ્યો હતો. આપની કરુણાએ કમાલ કરી. સંયમત્યાગની વાત તો વિલાઈ ગઈ સાથે-સાથે દેહની મૂછ ત્યાગવા માટે મન તૈયાર થઈ ગયું આવા પવિત્ર મુનિવરોના ચરણ વડે કે કોઈના પણ વડે મારા શરીરને સ્પર્શ થાય કે ઠેબે ચડે ચગદ તો પણ મનમાં દુધ્ધન નહીં કરું કશી દરકાર નહીં કરું આવો અભિગ્રહ આપો! આજે આટલી કૃપા કરો!
પ્રભુએ પ્રસન્નવદને પચ્ચકખાણ આપ્યા. પ્રભુના ઉપકારને વાગોળતા વાગોળતા મેઘમુનિ સ્થાને આવ્યા. ચિત્તવૃત્તિઓનું ગંગાસ્નાન થયું હતું!
દીક્ષાની પહેલી જ રાત્રે થયેલા અનુભવથી મનમાં તુમુલ યુદ્ધ થયું, મન સંયમ ત્યજી દેવા સુધી પહોંચ્યું. આ કુવિકલ્પ આવ્યો એ સાચું પણ એ કાળા વાદળમાં રૂપેરી કોર એ હતી કે પ્રભુમાપુચ્છથ માવામિ (પ્રભુને પૂછીને ઘરે જઈશ) આવા કામમાં પણ પ્રભુને વચ્ચે રાખ્યા છે તેઓની ઉત્તમતા. તેથી તે બચ્યા. જીવનની બાજી હારવાના કિનારે પહોંચ્યાં હતા તેમાંથી આખી બાજી જીતી ગયા! જે દેહને કારણે સંયમમાં અપ્રીતિ થઈ હતી તે દેહને જ વોસિરાવ્યો. દેહની મમતાનું વિસર્જન કર્યું. શરીરને વિવિધ તપશ્ચર્યામાં ગાળી દીધું. પાપવૃત્તિઓ વિખરાઈ ગઈ. માત્ર બાર વર્ષનો સંયમ પર્યાય પાળી અનુત્તરમાં દેવ થયા. ત્યાંથી મહાવિદેહમાં જઈ સકલકર્મનો ક્ષય કરી મોક્ષમાં વિરાજમાન થશે.
(મદાક્રાન્તા) પ્રવજ્યાના પ્રથમ દિવસે દેહને વોસિરાવ્યો. પ્રવજ્યાના પ્રથમ દિવસે હારને હાર દીધી. પ્રવજ્યાના પ્રથમ દિવસે જીતને જીતી લીધી. પ્રવજ્યાના પ્રથમ દિવસે જન્મને ધન્ય કીધો!
ધન્ય હો એ સલુણા પ્રભાતને! ધન્ય હો એ દિવ્ય વાણીના ભવ્ય અક્ષરોને !! ધન્ય હો ધારિણીસુત શ્રી મેઘમુર્શીદને !!!
આધાર : જ્ઞાતાધર્મ કથા અંગ સૂત્ર અને છ ઢાળની સઝાય
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org