SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ચોખ્ખી ભોંયનું ચિત્ર ઉઠાવદાર બને છે આજ-કાલ, ચારે બાજુથી, કાયાની સપાટીથી ઘણી ધર્મક્રિયા થતી જોવા મળે છે. તેની સંખ્યાનો આંક આપણને હેરત પમાડે તેટલો ઊંચો હોય છે. પછી પ્રશ્ન એ થાય છે: જો આટલી મોટી સંખ્યામાં આવો ઊંચો ધર્મ થતો હોય, ત્યારે તેના ફળને તપાસવા જઈએ છીએ ત્યારે નિરાશા કેમ સાંપડે છે? આનો સાચો ઉત્તર મેળવવા તેમાં ઊંડા ઊતરવું જરૂરી છે. જ્યારે બારીકાઈથી જોવાનું શરૂ કરવામાં આવે છે, ત્યારે જણાય છે કે કાયાની સપાટીથી થતા ધર્મની ઉગમભૂમિમાં કાંઈ ગડબડ છે. એ ભૂમિ શુદ્ધ નથી. બીજ વવાતું નથી અથવા વવાય છે તો તે બીજ ક્યારેક વાવાઝોડામાં ઊડી જાય છે, અને ખેતી તો ચાલ્યા કરે છે ! બીજ વિનાની ખેતીથી શું ઊગે? બહુ બહુ તો ઘાસ-તણખલાં ઊગે ! લચી પડતાં કણસલાંવાળા છોડ ન ઊગે. ચિતારા પાસે રંગ, પીંછી; દોરવાના ચિત્રનો ખ્યાલ - આ બધું જ ઊંચું હોય, પણ જેના પર ચિત્ર કાઢવાનું છે તે જમીન, ભીંત, કાગળ કે કેનવાસ જ મેલું, ગોબરું અને કાબરચીતરું હોય, તો તેના રંગ, કળા કે પીંછીના સરવાળે શું નીપજે? સુંદર ચિત્ર માટે કળા બીજે નંબર, પણ પહેલા નંબરે તેની ભોંય ચોખ્ખી હોવી જરૂરી છે. તે જ પ્રમાણે, ઉત્તમ ધર્માચરણ માટે પણ, મનની ભોમકા શુદ્ધ હોય, ઈર્ષા, તુચ્છતા અને વૈરવૃત્તિથી કાબરચીતરી બનેલી ન હોય, પણ સરળતા, શ્રદ્ધા, પ્રમોદભાવ અને પ્રેમભાવથી શુદ્ધ હોય, તો તેની થોડી પણ ધર્મક્રિયા ફળવતી બને. એ ફક્ત-ક્રિયાકાંડ ન બને, પણ ક્રિયાયોગ બની રહે. -- જેમ ચોખ્ખી ભોંય પર સાદું ચિત્ર પણ ઉઠાવદાર બની રહે છે તેમ, શ્રી પંચસૂત્રના પાઠથી ચિત્તશાન્તિ પામીએ ચોખ્ખી ભોંયમાં ચિત્ર સારું ઊઠે છે.” આપણાં અજંપાનું કારણ આ જ છે. આ ચિંતનનો તંતુ થોડો આગળ વધારીએ. પણ તે ભૂંસવા શું જોઈશે? ચિત્તની ભૂમિકા (ભોંય) ચોખ્ખી કરીશું શેના વડે ? પાટિયાને સ્વચ્છ કરવાના કામ કરતાં ચિત્તને નિર્મળ એ માટે ત્રણ ચીજ જોઈએ - પાણી, ડસ્ટર અને હાથ. બનાવવાનું કામ કપરું છે, અટપટું છે. સુંદર બ્લેકબોર્ડ કાબરચીતરું થયું છે. આડા અવળા લીટા, એ માટે કોઈ સબળ અનુભવીનું રક્ષણ જોઈએ. પોતાનું આંકા, ડાઘ અને ડબકાં પડ્યાં છે તેને દૂર કરવા છે. ચિત્ત-રત્ન માંજીને જેઓએ ચોખ્ખું ચણાક કર્યું છે તે અને તેને, સારા હાથ વડે, ચોખ્ખું પાણી છાંટી, સ્વચ્છ લૂગડા જેઓ પોતાના ચિત્તને નિરંતર માંજી રહ્યા છે, જેના વડે વડે સાફ કરવું પડશે. તો જ તેના પર નવેસરથી કશું લખી માંજી રહ્યા છે, તે જ આપણને ખપમાં આવશે. શકાશે કે સુંદર ચિત્ર દોરી શકાશે. એવાં તત્ત્વ ચાર છે : આટલું તો કોઈ પણ સ્વીકારશે. એક છે; અહંતુ પરમાત્મા --જેઓનું ચિત્ત દોષથી તો દૂર બસ, એ જ રીતે, આપણા ચિત્તમાં ખરડાયેલા કેટલાક છે જ અને તે સકળ જીવો પ્રત્યેની કરુણાથી ભરપૂર આડાઅવળા લીટા, આંકા ને ડાઘા ભૂંસવા છે. ઉભરાતું રહે છે. ૪૪:પાઠશાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy