________________
દુઃખમાં દર્પણ જરૂરી છે, દૂરબીન નહીં
િ
વિશિષ્ટકોટિના પર્વમાં પર્યુષણ પર્વનું સ્થાન મોખરે છે. તેમાં જેમ
પ્રતિક્રમણ કરવાનું મહત્ત્વ છે, યથાશક્તિ ઉપવાસ વગેરે તપસ્યા કરવાનું મહત્ત્વનું છે; તેમ શ્રી કલ્પસૂત્રનું શ્રવણ કરવાનું પણ, એટલું જ મહત્ત્વનું છે. શ્રી કલ્પસૂત્રના પહેલા દિવસના પહેલા વ્યાખ્યાનમાં, ઇન્દ્ર મહારાજાની વાત આવે છે ત્યારે કાર્તિક શેઠની કથા આવે છે. કથા જાણીતી છે; તેમાં આવતો ઐરિક તાપસનો પ્રસંગ પણ જાણીતો છે. આ નાના લાગતા પ્રસંગનો બોધ ઘણો મોટો છે. આ બોધ એટલો બધો કિંમતી છે કે એને જો સમજી શકીએ તો આપણા જીવનમાંથી આર્ત્તધ્યાનને કાયમ માટે દેશવટો મળી જાય !
‘શ્રી કાર્તિક શેઠ પારણું કરાવે તો જ, હું પારણું કરવા આવું આવું નૈરિક તાપસે રાજાને કહ્યું. રાજાના કહેવાથી કાર્તિક શેઠ આવ્યા. ગૈરિકને પારણું કરાવ્યું, તે વખતે તાપસે નાકે આંગળી મૂકીને ભરી-સભા વચ્ચે કાર્તિક શેઠનું જે અપમાન કર્યું, ત્યારે ધર્મપરિણત એવા કાર્તિક શેઠે ‘શું વિચાર્યું’ -એ મહત્ત્વનું છે. અપમાનિત થયેલા પોતાના આત્માને, રાજા માટે, નૈરિક માટે ઘણી જાતના વિચાર આવે તેમ હતા; છતાં વિચાર-માત્ર પોતાની જાતનો જ આવ્યો. અને તે પણ વાંઝિયો વિચાર ન કર્યો, વિચારનું સ્વરૂપ આવું હતું; ‘જો મેં મુનિસુવ્રત સ્વામી પાસે દીક્ષા લીધી હોત તો અપમાનનો આ પ્રસંગ આવ્યો જ ન હોત.' આમ, આવા દુઃખદ પ્રસંગે દર્પણ હાથમાં લીધું; દૂરબીન નહીં.કથાનક એમ સમજાવે છે કે, જીવનમાં જ્યારે જ્યારે કોઈ પણ જાતના દુઃખના પ્રસંગો આવે ત્યારે, તમારી જાતનો જ વિચાર કરજો. તમારે શું કરવું જોઈએ, એ જ વિચાર કરજો. સામાએ શું કરવું જોઈએ —એ વિચાર નિરર્થક છે; અને એ વિચાર આત્મા માટે અનર્થક પણ છે. ચહેરો જોવા દર્પણ જ ઉપકારક છે, દૂરબીન નહીં. પર્વાધિરાજના આ દિવસોમાં સંકલ્પ કરીએ :
‘દુઃખમાં દર્પણ હાથમાં રાખીશું અને ચહેરાને સુધારીશું.'
Jain Education International
For Private & Personal Use Only
hod]rn]] ]] Z© 35 353790 []]s] [11] !$j]; at phish bf of is Jause foor Beisit ધવલભ (pain (UK TI
Dastge
રવીએ
ચિંતન : ૨૭
www.jainelibrary.org