SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલો, આપણે પ્રભુજીવી બનીએ જીવવું તો છે. જીવવા જેવું છે, માટે જીવવું છે. જીવવા માટે, આધાર તો જોઈશે. નિમિત્ત પણ જોઈશે. જીવવાના આધાર અને નિમિત્તનો આ જગતમાં લીલો દુકાળ છે : ધન માટે જીવનાર છે અને ધનથી જીવનાર પણ છે. દવા વડે જીવનારા પણ છે.સત્તાના દોરદમામથી જીવનારા છે. અરે ! બુદ્ધિથી જીવનારા ‘બુદ્ધિજીવી’ તો પાર વિનાના મળે છે. તેઓ પોતાની જાતને ‘બુદ્ધિજીવી' તરીકે ઓળખાવવામાં ગૌરવ અનુભવે છે. -- આવા બધાનો આપણને ખૂબ પરિચય છે.પણ... આપણે તો પ્રભુ માટે જીવનારા, પ્રભુ વડે જીવનારા ‘પ્રભુજીવી” બનવું છે. આજે જ્યારે ‘બુદ્ધિજીવી'ની ચારેકોર બોલબાલા છે ત્યારે, અને શ્રદ્ધાની કટોકટી પ્રવર્તતી હોય ત્યારે, “પ્રભુજીવી” બનવું સુખદાયી, શુભદાયી, શાતાદાયી અને શાંતિદાયી પુરવાર થશે. ચાલો, આજથી જ આપણે “પ્રભુજીવી” બનવાનો સંકલ્પ કરીએ અને તે દિશામાં પહેલું ડગલું માંડીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy