SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ દુર્લભતાનું ભાન દુર્બયને અટકાવે છે જેઠ અષાઢ કોરા ગયા હોય ત્યારે, સત્તાવાળા દ્વારા જાહેરાત થાય કે ચોવીસ કલાકમાં, પાણી માત્ર એકવાર અને તે અડધો કલાક જ આપવામાં આવશે. ત્યારે, પાણી આવવાનો જે સમય હોય, તેની પહેલાંથી જ, ડોલ, તપેલું ને પવાલી કે પીપ, એવું બધું તૈયાર રાખવામાં આવે છે. | એ સમયે બીજું કશું કામ નથી કરવાનું, એવો નિયમ જાણે-અજાણે પણ પળાય છે. પાણી મુશ્કેલીથી મળે છે, લાંબા સમયે મળે છે, થોડા સમય માટે જ મળે છે, એટલે આ બધી કાળજી રખાય છે. ભાલ જેવા પ્રદેશમાં તો દૂર-દૂરથી, બે-ત્રણ કિલોમીટર દૂરથી પીવાનું પાણી આવતું હોય તો તે પાણી, પીવા સિવાય બીજા કોઈ ઉપયોગમાં ન લેવાય તેનો બરાબર ખ્યાલ રખાય છે. તેનો દુર્વ્યય અટકે છે, કારણ તે દુર્લભ છે. એ પ્રમાણે, આપણને મળેલો મનુષ્યભવ પણ અતિશય દુર્લભ છે. બહુ-ઓછાને, બહુ-ઓછા કાળ માટે અને લાંબા ગાળે મળે છે. માટે તેની ક્ષણો વાવવાની છે, વેડફવાની નથી. દુર્લભતાનું ભાન દુર્થયને અટકાવે છે. ૧૦: પાઠશાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy