SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ આધુનિક મનોવિજ્ઞાને ‘ટેલિપથી’ એવું નામકરણ હમણાં કર્યું પણ મનોમન વિચારનું આવાગમન તો યુગોથી થતું રહ્યું છે. મનમાં જે સૂક્ષ્મ વિચાર-તરંગ જાગ્યો તે, વિજળી વેગે એના લક્ષ્યને એટલે કે સામી વ્યક્તિને સ્પર્શે છે. સૂક્ષ્મતા જેમ વધુ તેમ તેની શક્તિ વધુ. મનોગત ભાવને પ્રગટ કરવાના જે માધ્યમ છે તેમાં સૌથી વધુ સૂક્ષ્મ અને શક્તિશાળી માધ્યમ સંકલ્પ છે. સ્થૂળતાથી શરૂ કરીએ તો, પહેલા ‘શબ્દ' છે, તેનાથી સૂક્ષ્મ ‘સ્પર્શ’ છે. સ્પર્શ દ્વારા આપણા મનોગત ભાવ સામી વ્યક્તિમાં સંક્રાંત થાય છે. કેટલાંક યોગીઓનો તો માત્ર દૃષ્ટિપાત પણ સામી વ્યક્તિમાં સોંસરો ઉતરી જાય છે. વિચા૨ ક૨વાની કળા આ બધાથી ઉપર છે ‘સંકલ્પ’. સબળ સંકલ્પ મનની સમગ્ર શક્તિને કેન્દ્રિત કરીને એક જ લક્ષ તરફ એકાગ્ર કરવામાં આવે તો તે સંકલ્પ તક્ષણે જ પરિણામ દર્શાવે છે. ભાવ તેવું પરિણામ. મનમાં કોઈ ભાવાત્મક વિચાર નિરંતર ચાલતા જ હોય છે. તે શુભ ભાવ સ્વરૂપ હોય અથવા અશુભ ભાવ સ્વરૂપ પણ હોય. આમ શુભ અશુભ સ્વરૂપ વિચારને સ્વાધીન હોય તો શુભભાવ સ્વરૂપ વિચાર કેમ ન કરવા ? ૨૪૮ : પાઠશાળા Jain Education International પણ ના, એ વિચાર સ્વાધીન થોડાં છે ? હકીકતે તો અશુભ વિચારો જ વધુ તીવ્ર વેગે આવતા રહે છે ! આપણે સતુની ઈચ્છા ભલે કરતાં હઈશું, વાવેતર તો અસા બીજનું જ કરતા રહીએ છીએ. આ આપણામાં રહેલા નકારાત્મક અભિગમનું ફળ છે. આપણને સત્ કરતાં અસત્ પર વધુ શ્રદ્ધા છે ! જગતનું મંગળ કરનાર ભગવાનનું નામ લીધું છે માટે આપો દિવસ સારો જશે એવી શ્રદ્ધા નથી હોતી પણ, સાયલા ગામનું નામ લીધું એટલે ખાવાનું મોડું મળશે એવી ‘શ્રદ્ધા' દૃઢ હોય છે ! આવી નકારાત્મક વિચારધારા નિષ્ફળતાને નોતરે છે. વળી નકારાત્મક વિચારોની વિપુલતા અને પ્રબળતાને કારણે થોડીઘણી હકારાત્મક વિચારધારા હોય તે પણ દબાઈ જાય છે. એ પ્રસંગ આ વાતને પ્રકાશ આપશે : જુના જમાનાની વાત છે. એક રાજ્યમાં રાજા અને પ્રજા વચ્ચે પિતા પુત્ર જેવા મીઠાં સંબંધો હતા. હક્ક કરતાં સભામાં શ્રીમંતો, અમીર, ઉમરાવો, અનુચરો, અને આવે બીજા બઈ નગરના યોગ્ય પુરૂષો મને પ્રીતિ નિત્યે સહુ જન પર પૂર્ણ પ્રકટે, પિતા પેઠે મારૂં હૃદય થઈને વત્સલ રહે. પરંતુ જે પેલો વણિક અહીં આવે સહુ વિષે, ભૂપાળે દિન એક મંત્રિવરને એકાંત દેખી કહી, અરે ! એને જોતાં અધિક ઉરમાં ક્રોધ ઉપ‰; ઉંડી અંતર કેરી વાત ઉરને જે સદા બાળતી; ન તે વેરી મારો, અવિનય લગારે નવ કરે, એનું કારણ શોધવા સચિવને તે સાથ આજ્ઞા કરી, બગાડે ના કાંઇ, પુરૂષ કદીએ વાક્ય ન વધે.મુંઝાણો મન મંત્રી ઉત્તર કશો આપી શક્યો ત્યાં નહીં. ચંદન " કવિ બોટાદકર તથાપિ શા માટે હૃદય મુજ એને નિરખીને, વડે વેરી જેવો સમજી હણવા તત્પર બને? વિના વાંકે વો મુજ હૃદયને તોય ન પટે, ખરે જાણું છું એ, પણ હૃદય પાછું નવ હઠે! For Private & Personal Use Only દિન પરે દિન કૈંક વહી ગયા, સચિવ તર્ક વિતર્ક ક૨ે સદા; વણિક સંગ પિછાણ પછી કરી દિન જતાં વધતી, વધતી ગઇ. મોટાની પામવા મૈત્રી ઈચ્છે કો નહિ અંતરે ? વિના યત્ને મળે મંત્રી, ન કોને હૃદયે ગમે? એકદા મંત્રી ચાહીને વૈશ્યને ભવને ગયો, વાર્તા વાણિજ્યની એની સંગાથે કરતો હતો. www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy