SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રીશ્વર પેથડના પુત્ર ઝાંઝણની ચતુરાઈની વાતો, બહુ રસાળ છે. એમાંથી બે વાતો જોઈએ. રંગ છાંટણાં - ઝાંઝણનાં એક : માંડવગઢથી ગિરિરાજ તથા ગિરનારની યાત્રા સંઘ સાથે કરીને, ઝાંઝણ માંડવગઢ તરફ આવી રહ્યા છે. રસ્તામાં કર્ણાવતી (અમદાવાદ) આવ્યું. સાબરમતી નદીના કાંઠે પડાવ છે. પડાવની બાજુમાં માંડવગઢની હૂબહૂ રચના કરી. બજાર, પોળ, ચૌટા, ચોક વગેરેના નામ પણ આપ્યા. જોવાને લોક ઊમટ્યું હતું. કર્ણાવતીના રાજા પણ જોવા પધાર્યા. આ રાજાને એક નિયમ હતો ઃ કોઈ ગમે તેવું દાન-ભેટ આપે તે, ડાબા હાથે જ રાજાસાહેબને જોવા માટે, કપૂરનો ખોબો ભરી, હથેળીની ફાટમાંથી કપૂર, રાજાના હાથમાં ખેરવવા માંડ્યું. રાજા તો ખરી રહેલાં ઊજળા કપૂરને જોવામાં અને તેમાંથી આવતી અદ્ભુત સુવાસને સૂંઘવામાં લીન થઈ ગયા ! જે ક્ષણે, રાજા આ કપૂર જોવામાં ડૂબ્યા છે તે જોઈ ઝાંઝણે કપૂરની ધારા મોટી કરી. રાજાએ લંબાવેલો એક હાથ ભરાઈ ગયો. હાથમાં કપૂરની ઢગલી મોટી થવા લાગી અને ઝાંઝણે તો કપૂર-ધારા ચાલુ જ રાખી. ભરાયેલા હાથમાંથી હવે કપૂર ૧૨૪ : પાઠશાળા લેવું. ઝાંઝણને આની જાણ હતી. રાજા ઝાંઝાના પડાવમાં પધાર્યા. સમગ્ર માંડવગઢની બે: મંત્રીશ્વર પેથડને પોતાના પુત્ર ઝાંઝણની ચતુરાઈનો અણસાર ન આવે અને તેમાં ભદ્રિક પેથડ આપત્તિનાં એંધાણ જુએ; છતાં પણ સાહસિક ઝાંઝણ અંતે તો, શાબાશીને જ ઉઘરાવી લે આવું ઘણીવાર બનતું. રચનાને, ઝાંઝણે સાથે ફરીને બતાવી. બધા સ્થાનોનું રસપૂર્વક વર્ણન કર્યું. આ બધું જોઈને પછી રાજા ઝાંઝણના તંબૂમાં પધાર્યા. સિંહાસન પર બેઠક લીધી. પધારેલા મહેમાનરાજાને ભેટલું આપવાનો રિવાજ હોય છે. પૂર્વ- આયોજન મુજબ, સેવક શુદ્ધ અને ઊજળા કપૂરથી ભરેલા થાળ લઈ આવ્યો. થાળો જોઈ ઝાંઝણથી બોલી જવાયું : ‘વાહ ! બહુ સુંદર છે ને કાંઈ !' માંડવગઢમાં પ્રવેશ કર્યા પછી, પેથડે ઘીની દુકાન કરી હતી. એકવાર તેમને અચાનક બહાર જવાનું કામ આવી પડ્યું. ઝાંઝણને કહ્યું : ‘દુકાન બરાબર સંભાળજે અને કોઈ ઘી લેવા આવે તો આપજે. ’રાજાને ત્યાંથી એક દાસી રોજરોજ ઘી લેવા આવતી હતી, માટે આવી સૂચના આપીને પેથડ ગયા. Jain Education International જેવું, નીચે ધૂળમાં પડવામાં હતું, ત્યાં રાજાની સૌંદયપ્રીતિ આગળ આવી. આવું સુંદર કપૂર ધૂળમાં તો કેમ પડવા દેવાય ? સહસા તેમનાથી બીજા હાથની હથેળી જોડાઈ ગઈ ! જેવી તે જોડાઈ એટલે, ઝાંઝણે પોતાની બન્ને હથેળી પહોળી કરી દીધી. જોનારા જે ટોળે વળ્યા હતા તે બધાએ હર્ષનાદ કર્યો; ત્યારે રાજાને ખ્યાલ આવ્યો કે : ‘અહો ! ઝાંઝણે ચતુરાઈ કરી ! મારી તો પ્રતિજ્ઞા હતી અને આણે જમણા હાથની હથેળી લાવી દીધી !' રાજા ખેલદિલ હતા. ખુશ થયા. ઝાંઝણને શાબાશી આપી. ઝાંઝણે ઉલટથી વધુ ભેટણું કર્યું. જોનારા બધા ઝાંઝણની હોંશિયારી અને ચતુરાઈનાં વખાણ કરતાં, વિખરાયા. આવા ચતુર, ઝાંઝણ હતા. થોડી વારમાં, દાસી ઘી લેવા આવી. ઝાંઝણે કહ્યું, ‘ઘી નથી. ’દાસી વિલખી પડી. રોવા જેવું મોઢું કરીને બોલી : ‘થોડું તો આપો. રાજા ભાણે બેઠા છે. વળી ઝાંઝણ કહે : ‘ઘી નથી. જા, તારા રાજાને કહેજે !' હવે દાસી થોડું હસીને બોલી : ‘નાની ટોયલી જેટલું આપોને !' તો પણ ઝાંઝણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy