SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ કલિકાલસર્વજ્ઞને સપ્રાણ વન્દના and And DEC રવિશંકર મ, રાવળ જ્ઞાનના સહસ્ર કિરણથી શોભતા ! હે સૂરીશ્વર મહારાજ ! આપશ્રીએ ગુજરાતની ધરતીને, અવતરીને પાવન કરી, --એ સુભગ અકસ્માત હતો. આ દેશ-પ્રદેશના એવા વળાંકે આપ પધાર્યા; જ્યારે સંસ્કૃતિ વળાંક લઈ રહી હતી. આપશ્રીના અસ્તિત્વથી એ રાજાનું, એ રાજ્યનું, એ પ્રજાનું સમગ્ર વલણ બદલાઈ ગયું અને પછી આપ પધાર્યા. આપનું એ પરલોકે પધારવું; --એ એક અનિવાર્ય નિયતિ હતી. આપના જવાથી, અમે રંક બન્યા તેવું લાગ્યું; પણ આપે જે આપ્યું, તેનાથી જ અમે સમૃદ્ધ બન્યા છીએ, એ પણ એટલું જ સાચું છે અને તે તો, સ્મૃતિમાં સતત ઝબકે છે. આજે સંસ્કૃતિ – સાહિત્ય સમેત અનેક ક્ષેત્રે ગુજરાત તવંગર છે; તે આપના કારણે જ છે. આપનાથી જ, આજે અમે ઉન્નત-મસ્તક છીએ. તો આપના અવતરણથી પાવન થયેલી કાર્તિક પૂર્ણિમાના દિવસે, આપને કૃતજ્ઞતાથી મહેંકતાં સ-મૃતિ પુષ્પોથી સભર વંદના કરીએ છીએ. આપના પવિત્ર ચરણોમાં, નત-મસ્તકે ફરી વંદના કરીએ છીએ. | જય હો ગૂર્જરસંસ્કાર-વિધાતા, યુગનિર્માતા, શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજનો, સદાકાળ જય હો ! --વિજય હો ! ધન્ય તે મુનિવરા રે !: ૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy