SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ જમશેઠ ક. ૧ 72 જગત્શેઠની એક ધારણા ખોટી પડી. તેમણે માનેલું કે મંત્રણાનો ભેદ છતો નહીં થાય, પરંતુ સરફરાજને કોઈએ ચેતવ્યો. જિંદગીમાં પહેલી જ વાર હાથમાં હથિયાર લઈ અલીવર્દી-ખાની સામે લડવા નીકળ્યો. ઘેરીઆના મેદાનમાં સરફ અને અલીવર્દી-ખાં લડ્યા. સરફ મરાયો. સરફની પાછળ કોઈએ આંસુનું ટીપું ન પાડ્યું. ૮૧ જગત્શેઠનો હાથ પકડી, અલીવર્દી-ખાં બંગાળની મસનદ ઉપર બેઠો. તે જ્યારે પટણામાં હતો ત્યારે એક સાધુજને, તેને બંગાળનું રાજ્ય મળશે, એવું ભવિષ્ય ભાખેલું. જગત્શેઠની અમીદૃષ્ટિ એ સ્વપ્નસિદ્ધિમાં નિમિત્તરૂપ બની. અલીવ અને બાપુદેવ શાસ્ત્રી નામના એ વખતના એક પ્રસિદ્ધ પંડિત વચ્ચે ગાઢ મિત્રાચારી હતી. એ શાસ્ત્રીના શિક્ષણના પ્રતાપે અલીવ હિંદુઓ અને મુસલમાનોમાં એક સરખો પ્રિય બની શક્યો. ઇતિહાસ ઉચ્ચારે છે કે અલીવર્દી-ખાંના ધાર્મિક જીવનના પ્રભાવે મુર્શિદાબાદનો રાજપ્રાસાદ પવિત્ર તપોવન જેવો બન્યો હતો. મસ્જિદે મસ્જિદે નમાજ અને મંદિરે મંદિરે યોગ્ય સમયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002065
Book TitleJagatsheth
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy