SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ જમશેઠ 20 ૬૫ ‘“એ વાત તો હવે લગભગ ભુલાઈ ગઈ હશે, કેમ લતીફ?”’ જગત્શેઠે પંદરેક દિવસ પછી કંઈક પ્રસંગ નીકળતાં યાર લતીફને પૂછ્યું. લતીફ જગત્શેઠનો કુટુંબી જેવો જ બની ગયો હતો. કેટલીય વાર તેણે જગત્શેઠના ઘરબાર અને કુટુંબનું જીવના જોખમે રક્ષણ કર્યું હતું. જગત્શેઠનો તે બહુ જ વિશ્વાસપાત્ર હતો. લતીફ લડવૈયો હતો, તેવો જ અવકાશને વખતે વાચાળ બની જતો. તેને પોતાનાં પરાક્રમો વર્ણવવાની ટેવ હતી, પણ એ ટેવ કરતાંય વધુ તો પોતે મર્મજ્ઞ અને સાહિત્યવેત્તા છે, એમ બતાવવાની હોંશ રહેતી. જગત્શેઠને તે સાંભળેલા કિસ્સાઓ લહેરથી સંભળાવતો અને એ રીતે શેઠને સલાહ આપવાનું તથા દિલ બહલાવવાનું કર્તવ્ય બજાવતો. ‘દુનિયાનું એ જ દુઃખ છે નામવર! કે જે ભૂલી જવું જોઈએ તે પકડી રાખે છે અને જે યાદ રાખવું જોઈએ તે ભૂલી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002065
Book TitleJagatsheth
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy