SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ જશેઠ ફરૂખશીયરનું ફરમાન મુર્શિદ-કુલી-ખાંને મન એક ઉલ્કાપાત હતો. તેની અને માણેકચંદ શેઠની મૈત્રી ગમે તેટલી શ્રદ્ધાભરી અને અચળ જેવી દેખાતી હોય તોપણ આ આખાયે કારસ્થાનમાં માણેકચંદ શેઠનો જ હાથ હોવો જોઈએ, એમ તે પોતાના મનને મનાવવા પ્રયત્ન કરી રહ્યો. જે દરબારોમાં પળે પળે પ્રપંચના પાસા ફેંકાતા હોય ત્યાં માણેકચંદ શેઠ ક્યાં સુધી વિમુખ રહી શકે ? ધન, સંપત્તિ અને રાજના લોભે એક વેપારી પોતાનું હૈયું ક્યાં સુધી સાબૂત રાખી શકે ? માણેકચંદ શેઠે પોતે આ કાવતરું ન રચ્યું હોય તો બાદશાહ બીજા કોઈની નહીં અને બંગાળના સૂબા તરીકે માણેકચંદની જ શા સારુ પસંદગી કરે ? અંગ્રેજ વણિકો કરતાં પણ હિંદુ વેપારી વધુ કાવતરાખોર હોઈ શકે છે. ફૂલની શય્યામાં સૂતેલા પુરુષને અચાનક સર્પ દંશે તેમ મુર્શિદકુલી-ખાંનું અંતર આકસ્મિક ફરમાનથી ધ્રૂજી ઊઠ્યું. ઢાકાની રાજધાની બદલવામાં અને મુર્શિદાબાદ વસાવવામાં પણ એ જ માણેકચંદ મુખ્ય પ્રેરક હતો. બંગાળની જમાબંધી વ્યવસ્થિત કરવામાં અને રૈયતની શાંતિ સારુ મુર્શિદની પડખોપડખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002065
Book TitleJagatsheth
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy