SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ગશેઠ મને લાગે છે કે હવે આપણે ઢાકાની ભૂમિનો મોહ છોડી દેવો પડશે. ઢાકા આજે મનુષ્ય રહિત બનતું જાય છે. નવાબના દરબારમાં અને દરબારની બહાર એક એક માણસને જોઉં છું ને મને વાઘ, વરૂ, રીંછ કે ચિત્તાનું સ્મરણ થઈ આવે છે. એ નરદેહધારી પશુ ક્યારે વિકરાળ બની, અચાનક થાપો મારશે તે કંઈ કહી શકાય નહીં.” માણેકચંદે બંગાળની રાજધાની ઢાકાની તાત્કાલિક સ્થિતિનું ચિત્ર દોરતાં આ શબ્દો ઉચ્ચાર્યા. તેની સામે બંગાળનો દીવાન મુર્શિદ-કુલી-ખાં નજર નીચી રાખી નિરાંતે બેઠો હતો. બહારથી તે જેટલો સ્વસ્થ હતો, તેટલો જ અંતરમાં ઉદ્વિગ્ન હતો. માણેકચંદ શેઠની સલાહને આજ્ઞારૂપ માનવાને તે ટેવાયેલો હતો. બંને જણા આજે પોતાનો ભવિષ્યનો ક્રમ નક્કી કરવા, ભાગીરથીના તીરે આવેલા માણેકચંદ શેઠના વિશાળ પ્રસાદભુવનમાં એકઠા મળ્યા હતા. બંને જણ બંગાળની આજની ખટપટ અને કાવાદાવાથી કંટાળ્યા હતા. દિલ્હીના દૂજતા સિંહાસને તેમને પણ અસ્થિર બનાવી દીધા હતા. બંને ઉપર ભાગ્યદેવીની એકધારી કૃપા વરસતી. એક લક્ષ્મીનો લાડકવાયો હતો, તો બીજો સત્તા અને અધિકારની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002065
Book TitleJagatsheth
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy