SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ જગત્શેઠ ૧૩૬ ‘અંગ્રેજ વેપારીઓ સાથે મળી જનાર અને ઉપરથી તટસ્થપણાનો દેખાવ કરનાર, બંગાળનો હિતચિંતક હોઈ શકે એમ જ કહેવા માગો છો, ખરું ને ?' મીરકાસીમે નવાબી નીતિનું પ્રદર્શન કર્યું. જગત્શેઠને યુદ્ધનું આ સ્પષ્ટ આહ્વાન ગમ્યું. મીરકાસીમ માત્ર વહેમને વશ બની, પોતાના જ પગ ઉપર કુહાડો મારી રહ્યો છે, એ હકીકત સૌ કોઈ જાણતું હતું. પણ નવાબના ખોફના ભયથી કોઈ સ્પષ્ટ વાત કહેવાની હિંમત કરી શકતું નહીં. જગત્શેઠ એ સાહસ ખેડવા તૈયાર થયા. “આજે અંગ્રેજો આપને દુશ્મન જેવા દેખાય છે. એમની સાથે નામનો પણ સંબંધ ધરાવનારને આપ દંડો છો, પણ એ રીતે આપ અનિષ્ટને આગળ વધતું નહીં અટકાવી શકો. એ લોકો વેપારી છે. આપણે જ એમને લાંચ-રૂશ્વત ને લાલચ આપી કર્તાહર્તા બનાવ્યા છે. આપણા અંદર-અંદરના વિરોધે જ તેમને બળવાન બનાવ્યા છે. જો એમને આપણે વેપારી જ રાખી શક્યા હોત અથવા હજીપણ વેપારી રાખી શકીએ તો એમની સાથેના સંબંધથી આપણને કોઈ જાતનો ભય ન રહે. ત્રણ પેઢીની ભૂલ હજી પણ સુધરી શકે.'' જગત્શેઠના શબ્દે શબ્દને પી જતો હોય એટલી આતુરતાથી મીરકાસીમ સાંભળી રહ્યો. ‘‘શાહજાદાની નવી આફત આવી ન હોત તો ગમે તે રસ્તે નિકાલ કરી લેત.'' મીરકાસીમ નિરાશભાવે બોલ્યો. ‘શાહજાદો બે દિવસ પછી ચાલ્યો જશે. અંગ્રેજ વેપારીઓને એ ગમે તેવા હક્ક આપે, પણ એમને નવાબોની સાથે જ કામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002065
Book TitleJagatsheth
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy