SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ જગશેઠ ૧૨૦ તરફ સોગને અને બીજી તરફ બંગાલ, બિહાર અને ઓરિસાનું સામ્રાજ્ય ! બેમાંથી કોને વધુ પસંદગી આપવી ? મધ્યરાત્રીની મનોહર શાંતિ વિલસતી ન હોત, મીરજાફરની સામે સિરાજ આંસુભીનો ઊભો ન હોત, તો અમે ખાતરીથી કહીએ છીએ કે સોગનની નહીં પણ સામ્રાજ્યની જ જીત થાત ! પણ અત્યારે તો મીરજાફર એના જીવનની નબળી પળોમાંથી પસાર થઈ રહ્યો હતો. બાળક સિરાજને ખુશ કરવા સોગન લેવા પડતા હોય તો એકવાર નહીં, બે વાર સોગન લેવા તૈયાર થયો. સોગન લીધા પછી. સોગનના ભોગે સિંહાસન ઉપર બેસનારા ઘણા અધિકારીઓનાં જીવન તેણે અનુભવ્યા હતાં. જગતુ સોગનને નહીં, પણ સામ્રાજ્યને, સત્તાને, વૈભવને જ માને છે, પૂજે છે એમ તે અંત:કરણના ઊંડાણમાં માનતો થયો હતો. સોગન જેવા રમકડાથી સિરાજ રીઝતો હોય તો શા સારુ વિલંબ કરવો ? તે જ રાત્રે મીરજાફરે નિર્ણય સંભળાવ્યો : “પાક કુરાનના નામે હું તમારો જ રહીશ.” સિરાજ સ્નેહથી મીરજાફરને ભેટી પડ્યો. બીજે જ દિવસે જગશેઠને માનપૂર્વક મુક્ત કરવામાં આવ્યા. સિરાજનો ફરીથી આત્મીય બનેલો મીરજાફર સિરાજના જમણા હાથ રૂપે બંગાળનું રાજતંત્ર ચલાવવા લાગ્યો. મીરજાફરની વફાદારીના પ્રતાપે જ પૂર્ણિયાનો શૌકત પરાભવ પામ્યો. સિરાજ-ઉદ્-દૌલા જાણે પુનર્જન્મ પામ્યો હોય, એટલો ઉલ્લાસ અનુભવી રહ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002065
Book TitleJagatsheth
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy