SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ જગશેઠ તરસ્યા પીનારાઓ ખૂટાડી શક્યા છે ? પેઢી એક એવો કૂવો છે કે જેમાં ક્યાંથી કેટલી સર વહે છે, તેનું માપ હજી કોઈ કાઢી શક્યું નથી. મરાઠાઓ તો કૂવામાંથી નહીં, પણ કૂવા પાસેના ખાબોચિયામાંથી જ થોડું પાણી પીને નાસી ગયા ! એમાં અફસોસ કરવા જેવું શું છે ?” અલીવર્દી-ખાંને થયું કે પોતાને રીઝવવાને જ સારુ જગતુશેઠ આ પ્રમાણે બહારનો દેખાવ કરે છે. બાકી મહામહેનતે એકઠું કરેલું નાણું લૂંટાઈ જાય તો કોને આઘાત ન થાય? સમકાલીન મુતમ્મરીનનો લેખક કહે છે કે પેઢીની લૂંટ જગડુશેઠને મન એક નજીવી વાત હતી. લૂંટને બીજે જ દિવસે તેઓ દશ કરોડની દર્શની હૂંડી લખી આપવા શક્તિમાન હતા. જગતુશેઠની સમૃદ્ધિ, હિંદુસ્તાનમાંથી ચાલતી અસંખ્ય આશ્ચર્યકથાઓ પૈકીની એક કથાવસ્તુ બની હતી. મરાઠાઓની ધાડ પછી પણ જગતુશેઠનો વેપાર પહેલાંની જેમ જ ચાલતો. એ બનાવને એક વરસ વીત્યું નહીં હોય એટલામાં બે સબળ શત્રુઓ બંગાળ ઉપર ચડી આવ્યા. એક તરફ બાલાજી અને બીજી તરફ ભાસ્કર પંડિત. બે દુશ્મનોની સામે એકી સાથે શી રીતે લડવું એ મુંઝવણ ઊભી થઈ. બાલાજીને જો બંગાળની ચોથના બદલામાં દસ લાખ રૂપિયા આપવામાં આવે તો તે લડ્યા વિના પાછો જવા તૈયાર હતો. અલીવર્દી પાસે એટલું નાણું ન હતું. જમીનદારોનું કરજ કરીને પણ બાલાજીનું મન સંતોષ્ય. ૧. ક્લાઈવે પોતાની ઉપર મૂકાયેલા લાંચનાતહોમતનો પ્રતિકાર કરતાં ઉમરાવો સમક્ષ કહેલું કે “હું જ્યારે મુર્શિદાબાદમાં ગયો અને ત્યાં સોના-રૂપા તથા ઝવેરાના મોટા ગંજ જોયા ત્યારે હું મારા મનને કેવી રીતે કાબુમાં રાખી શક્યો એ માત્ર મારો અંતરાત્મા જાણે છે!” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002065
Book TitleJagatsheth
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy