SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ જગશેઠ ૮૬ હબીબ લૂંટમાં ભાગ મેળવવાની આશાએ મરાઠાઓ સાથે મળી ગયો. મુર્શિદાબાદ ગઢ વિનાનું ખુલ્લું પડ્યું હતું. મીરની શીખવણીથી મરાઠાઓ પહેલો જ હલ્લો જગતુશેઠની પેઢી ઉપર લઈ ગયા. આખો દેશ લૂંટવાથી તેમને જે સોનું-રૂપું ન મળી શકત તેટલું અહીં તેમને પ્રાપ્ત થયું. જગતુશેઠ અને તેમનો પરિવાર, બાદશાહી કુટુંબ સાથે હોવાથી મરાઠાઓની સામે બચાવ કરવા કોઈ બહાર ન પડ્યું. જગશેઠની પેઢી લૂંટાય છે અને મુર્શિદાબાદ ઉજજડ બન્યું છે, એ સમાચારથી વિહ્વળ બનેલો અલીવર્દી એકદમ મુર્શિદાબાદ તરફ દોડ્યો. પણ લૂંટવાની, નાસવાની અને છુપાવાની કળામાં પૂરા પાવરધા ગણાતા મરાઠાઓને તે યોગ્ય શાસન કરી શક્યો નહીં. જે જગતુશેઠ નવાબ-પરિવારનું રક્ષણ કરવા પોતાની પેઢી છોડીને ગયા હતા, તેમને જ ત્યાં આવી લૂંટ થયેલી જાણી નવાબ ઘણો ગુસ્સે થયો. જગતુશેઠ જ્યારે પૂછશે ત્યારે પોતે શું જવાબ આપશે ? તપાસ કરતાં મીર હબીબ પણ દેશ તજીને નાસી ગયો હોય એવી બાતમી મળી. બીજાં બધાં વેર ભૂલી જવાશે, પણ નવાબના આત્મીય જેવા જગશેઠની પેઢી લૂંટાઈ એ વૈર તો કોઈ કાળે પણ ન ભૂલવાની અને તેને યોગ્ય બદલો લેવાની અલીવર્દી-ખાંએ પોતાના મન સાથે મજબૂત ગાંઠ વાળી. - પુનઃ શાંતિ સ્થપાતાં અલીવદ-ખાં જગડુશેઠની જાણે માફી માગતા હોય તેમ પેઢી લૂંટાયાની વાત કરી. પણ એ વાત સાંભળી લીધા પછી જગતુશેઠના મોં ઉપર વિસ્મય, ચિંતા કે ખેદની એક પણ રેખા ન અંકાઈ. એ લૂંટ જગતનો એક અતિ સામાન્ય પ્રસંગ હોય એવી બેપરવાઈથી કહ્યું - “પાતાળ કૂવાનું પાણી, કોઈ દિવસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002065
Book TitleJagatsheth
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy