SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર (નવપદ) આરાધના વિધિ જેનો અપૂર્વ મહિમા શાસ્ત્રોએ વર્ણવ્યો છે એવા શ્રી સિદ્ધચક્રજી-નવપદજી, ભવભ્રમણનો અંત કરવામાં અદ્વિતીય સાધનભૂત ગણાય છે. આત્મહિતેચ્છુ જનો શ્રી સિદ્ધચક્રજીના આરાધન માટે ખાસ આયંબિલ (આચામ્ય) તપ કરી વિધિપૂર્વક તેનું આરાધન કરે છે. જૈન દેવાલયોમાં ભગવંતની વિવિધ પ્રકારે ભક્તિ કરે છે, એટલું જ નહિ પણ શ્રી સિદ્ધચક્રજીની અલૌકિકપણે આરાધના કરવાથી આત્મકલ્યાણ કરવા સાથે લૌકિક સંપદા પ્રાપ્ત કરનાર સતી મયણાસુંદરી અને શ્રીપાળ રાજાના ચરિત્રનું ભાવપૂર્વક શ્રવણ અને મનન કરે છે. એ શ્રી નવપદજીનાં નામ અને તેમની આરાધનાની સંક્ષિપ્ત વિગત આ પ્રમાણે છે : ૧. શ્રી અરિહંતપદ : શ્રી જિનાગમના સારભૂત શ્રી પંચપરમેષ્ઠી મહામંત્રમાં આ પદ મુખ્ય છે. શ્રી જિનપ્રતિમાની શુદ્ધ આશયથી દ્રવ્ય અને ભાવપૂર્વક ભક્તિ કરવી, શ્રી જિનાજ્ઞાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002062
Book TitleShripal Charitra
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy