SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાળ ચરિત્ર કરવું તે એમને ત્યાં પુત્ર જન્મ્યો છે. લોકો કહે વિદ્યાને પેટ જાણે વિવેક જન્મ્યો છે ! દીકરો તે કેવો છે ? દેવનાં રૂપ છે, સોનાની કાયા છે, સૂરજનાં તેજ છે. દી'એ ન વધે એટલો રાતે વધે છે. રાતે ન વધે એટલો દી'એ વધે છે. ૧૧ રાજાએ તો દાન કર્યાં, પુણ્ય કર્યાં, આખા શહેરમાં આનંદમંગળ વર્તાવ્યાં. પણ દૈવની ગતિ તો નીરખો ! ધારીએ કંઈ અને થાય કંઈ. રાજાને જમનાં તેડાં આવ્યાં. હા કહો તોય જવાનું, ના કહો તોય જવાનું. એ તેડાં કદી પાછાં ફર્યાં નથી કે ફરનાર નથી ! રાજા તો ભરીભાદરી સંપત છોડી ચાલી નીકળ્યો. અનાથ રાણી અનરાધાર રૂએ : કહે કે આ બાલકુંવરની સારસંભાળ કોણ લેશે ? બાલકુંવરને એક કાકા છે. નામ અજિતસેન છે. પણ એ તો કાકા કહેવાના. કાકાએ એક દહાડો શહેર ઘેરી લીધું, સેનાને ફોડી નાખી, સિંહાસન કબજે કર્યું અને હુકમ કર્યો : જાઓ, જ્યાં હોય ત્યાંથી બાલકુંવર શ્રીપાલનું માથું વાઢી લાવો. લીલુડું માથું લાવનારને લાખ સવાનું ઇનામ દઈશ, અકરામ દઈશ, અધિકાર દઈશ.' રાણીને આ ખબર મળ્યા. એનું હૈયું ફાટવા લાગ્યું. એ વેળા મતિસાગર પ્રધાન્રુ બોલ્યો : ‘રાણીજી ! વિનય પણ વીરરસથી ભરેલો હોય તો જ શોભે. મૃદુતા પણ દૃઢતાથી ભરેલી હોય તો જ શોભે: રૂપ પણ તેજ વગરનું નકામું. અબળાનો અર્થ અધિક બળવાળી સ્ત્રી થાય. કાળજું વજ્રનું કરો. કુંવરને લઈ છૂપે રસ્તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002062
Book TitleShripal Charitra
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy