SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ પહેલો ૨૩ આવેગ-હાથીઓ ગરીબ ગાય જેવા નહિ બની જતા હોય. કેટલાકો તો માત્ર તપસ્વીઓને સ્વાભાવિક એવી ભાષા જ મુખેથી બોલી જતા હશે. પરંતુ અપરાધીઓ ઉપર એની સારી છાપ પડતી. વેર-વિદ્વેષનાં સાપોલિયાં તત્કાળ તો સંતાઈ જતાં. ગુણસેન પોતાના અપરાધની ગંભીરતા સમજતો હતો. તપસ્વીના ક્રોધની ભયંકરતા પણ એની ગણતરી બહાર ન હતી. પરંતુ અગ્નિશર્માએ પોતે અને આચાર્ય કૌડિન્ય અસંતવ્ય અપરાધને તપોવૃદ્ધિના નિમિત્તરૂપ ગણાવ્યો, ત્યારે તેના હૈયા ઉપરનો ઘણોખરો ભાર ઊતરી ગયો. હળવું ફૂલ બનેલું એનું હૈયું, જરા આનંદ હિલોળે ચડ્યું. કહ્યું : મહારાજ, આ વખતે તો મારાથી સાવધ ન રહેવાયું, પણ આ મહિનાના ઉપવાસને અંતે જો મારે ત્યાં પધારો તો હું મને કૃતકૃત્ય માનીશ.” આહાર કે ઉપવાસ સંબંધે સર્વ આશ્રમવાસીઓ સ્વતંત્ર હતા. કોણે, ક્યારે, કોને, ક્યાંથી ભિક્ષા લઈ આવવી, એ વિશે ખાસ વિધિનિષેધ નહોતા. દેહની રક્ષા માટે ભિક્ષા છે એમ નહિ પણ સંયમની રક્ષા માટે આહાર આવશ્યક છે, એમાં જીલ્લાની લોલુપતા ન ભળવી જોઈએ. એ સૂત્ર આચાર્યે સૌને શીખવી રાખ્યું હતું. એમાં અપવાદ ન આવે એ વિશે એમને માત્ર જાગૃત રહેવું પડતું. છતાં આ પ્રસંગે ગુણસેનની ગ્લાનિ અને વ્યાકુળતા જોઈ આચાર્ય અગ્નિશર્માને બીજા મહિનાને અંતે પણ ગુણસેનને ત્યાંથી જ ભિક્ષા લઈ આવવાનો અનુરોધ કર્યો. એટલું જ નહિ, ગુણસેન વિદાય થયો ત્યારે પણ આચાર્ય એના મસ્તકે હાથ મૂકી આશ્વાસન આપ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002061
Book TitleVerno Vipak
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy