SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ વેરનો વિપાક નિમિત્તરૂપ ભલે હોય, પણ વસ્તુતઃ વિધાતાનો જ કોઈ અકળ સંકેત છે. ગુણસેનનો દોષ કાઢવો નિરર્થક છે. ગળગળા કંઠે ગુણસેને આત્મનિવેદનના રૂપમાં કહેવા માંડ્યું : હું જરા અસ્વસ્થ હતો. મને અચાનક માથાની વેદના ઊપડી હતી. વૈદ્યોએ મને આરામ લેવાનું કહ્યું, પણ આંખ મીંચતાની સાથે જ મને આપનો પારણાનો દિવસ યાદ આવ્યો.” તરત જ મેં કહેવરાવ્યું : કોઈ મહાતપસ્વી જેવા પુરુષ આવે તો એમને સન્માનપૂર્વક આપણા અંતઃપુરમાં લઈ આવજો. મને જવાબ મળ્યો, તપસ્વી તો થોડીવાર થઈ હમણાં જ અહીં આવીને પાછા ફરી ગયા છે.” માથાની વેદના ભૂલી ગયો. મારા અંતરમાં ઊંડો પ્રાસકો પડ્યો. આપને રસ્તામાંથી જ પાછા વાળવા આપની પાછળ દોડ્યો. પણ મને હવે લાગે છે કે ઘણું મોડું થઈ ગયું હતું. પહેલાં પણ મેં આપને ખૂબ હેરાન કર્યા છે અને આ વખતે પણ...” ગુણસેન શું કહેવા માગતા હતા, તે શર્મા સમજી ગયા. એમનો આવેગનો ઊભરો પણ હવે શમવા માંડ્યો હતો. પોતાની કસોટી થઈ રહી હતી, એ હકીકત હવે એમને સમજાવા લાગી હતી. નહિ રાજનું તમારો મુદલ અપરાધ નથી. તપસ્વીઓ કોઈનો અપરાધ નથી ગણતા. ખરું જોતાં તો તમે મારી ઉપર મોટો ઉપકાર કર્યો છે – તમે જ મને સંસારના કારાગારમાંથી છોડાવ્યો છે. તમે જ મારા તપની અભિવૃદ્ધિમાં સારી સહાય કરી છે.” અનિષ્ટ તેમજ અપકારને પણ આ તપસ્વીઓ તપની વૃદ્ધિમાં સહાયરૂપ ગણતા. મનના આવેગો ઉપર આવી જ વિચારશૈલીના સંયમ-અંકુશ મૂકતા. એ અંકુશથી તપસ્વી માત્રના ઉન્મત્ત બનેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002061
Book TitleVerno Vipak
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy