SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્દાલપુત્રનો નિયતિવાદ તેણે ગોશાળાને સારો આદર-સત્કાર આપ્યો અને આહાર, પાણી કે વસ્ત્ર પાત્રાદિ જે કંઈ જોઈતું હોય તે પોતાના ભંડારમાંથી લેવાની વિનંતિ કરી. ‘‘પણ હું તો મહાવીરનો સમોવડયો ! અને તું મહાવીરનો અનુયાયી ! મારું આટલું બધું સ્વાગત શા સારુ ?’' ગોશાળે જાણવા માગ્યું. “તમે મહાવીરના સમોડિયા હો કે ગમે તે હો. તમે મહાવીરનો યશોવાદ ગાઓ છો એ જ મારે મન બસ છે. તમારું સ્વાગત પણ એ યશોવાદને જ આભારી છે. મહાવીર પ્રભુના ગુણગાન ગાનાર ગમે તે હોય, તેને માટે મારા ભંડાર સદા ખુલ્લા જ રહેવાના.’’ ૩૫ સદાલપુત્રની આ પ્રકારની ભક્તિ અને શ્રદ્ધા જોઈ ગોશાળાનું હૃદય ભરાઈ આવ્યું. તેનાથી બોલાઈ જવાયું : “ધર્માનુયાયી હો તો આવા જ ઉદાર અને વિવેકી હોજો !'' - Jain Education International I For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002060
Book TitleArpan Kshamashraman
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy