SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ અર્પણ + ક્ષમાશ્રમણ ઠેકાણે રહે તો ધીમે ધીમે થાળે પડે અને સુખથી જીવન નિર્ગમે. મામાએ નંદીષેણને માટે કન્યાઓની તપાસ ચલાવી. પણ જેનું મ્હોં જોવું ન ગમે તેને પોતાની કન્યા કોણ આપે? મામાએ પોતાની પુત્રી વેરે પરણાવવાનો વિચાર કર્યો, પણ પુત્રીને એ વાતની જાણ થતાં, વિનય-લજ્જાને એક કોરે રહેવા દઈને એવી તર્જના કરી કે મામાને એ વિચાર માંડી વાળવો પડ્યો. ૨૦ નંદીષેણે પોતે જ કહ્યું :– “મામા! મારામાં એવું શું રૂપ છે કે કોઈ મને પોતાની કન્યા આપે ? આ ભારરૂપ જીવન ગમે તે પ્રકારે વીતાવી દેવા સિવાય બીજો એકે ઇલાજ નથી.’’ મામો મૌન રહ્યો. એ રીતે કેટલાક દિવસો નીકળી ગયા. નંદીષેણને હવે જીવન અસહ્ય થઈ પડ્યું. આમ કાગડા-કૂતરાની પેઠે જીવવું તેના કરતાં ગળે ફાંસો ખાઈને કે ઝંપાપાત કરીને જીવનનો અંત લાવવો એ શું ખોટું ? આવો વિચાર કરી તે એક અંધારી રાત્રીએ મામાના ઘરની બહાર નીકળી પડ્યો. મામાએ આસપાસ તપાસ કરાવી. નંદીષેણનો પત્તો ન મળ્યો. આ તરફ નંદીષેણને ફરતાં ફરતાં એક તપસ્વી મુનિનો સમાગમ થયો. આંખમાં આંસુ આણી નંદીષેણે પોતાની દુર્દશા વર્ણવી. મુનિજીએ તેને આશ્વાસન આપતાં કહ્યું :– ‘મ્હોટા ચક્રવર્તીઓ પણ ભોગાવલી કર્મથી છૂટી શકતા નથી. આપઘાત કરવાથી કે ગાઢ અરણ્યમાં સંતાઈ રહેવાથી કૃતકર્મ આપણને મૂકી દે એ અસંભવિત છે. એ કર્મ તો ભોગવ્યે જ છૂટકો.’’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002060
Book TitleArpan Kshamashraman
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy