SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ગજસુકુમાલ ૧૮૧ જીવતા રહેવાના છે એમ એ મુનિએ કહેલું : તો પછી આ છે શમણો – જે બરાબર કૃષ્ણને મળતા આવે છે તે મારા પોતાના પુત્રો તો નહિ હોય ? ઊંડી મર્મ વ્યથા વેદતી દેવકી માતાની વ્યાકુળતા વધી પડી. પૂછવું પણ કોને ? બીજે દિવસે દેવકીજીએ નેમિનાથ ભગવાનની પર્ષદામાં જઈ પહેલો જ પ્રશ્ન એ પૂછયો કે : “ભગવદ્ ! કાલે મારે ત્યાં વહોરવા માટે આવેલા શ્રમણો મારા પોતાના પુત્રો તો નહિ હોય ? હે દેવકી ! એ તમારા જ પુત્રો છે. નૈગમેલી દેવે જ તમારી પાસેથી લઈને સુલતાને આપ્યા હતા.” કંસે જેનો વધ કર્યો છે એમ મનાતું હતું તે જ દેવકીના છ પુત્રો હયાત છે અને શ્રમણના વેષમાં રહી વિશ્વકલ્યાણ સાધી રહ્યા છે એ જોઈ દેવકીને આનંદ થયો. પણ એ આનંદ તો અગાધ સંક્ષોભની સપાટી ઉપરનો જ હતો. - પોતે સાત સાત પુત્રોની માતા હોવા છતાં કેટલી દુર્ભાગી છે તેની કલ્પના આવતાં દેવકીજીનું અંતર આર્તનાદ કરી ઊઠયું. છ-છ પુત્રોનો જન્મતાની સાથે જ ત્યાગ કરવો પડ્યો - સાતમો પરઘર જઈ ઊછર્યો. આ જ જો માતૃત્વનો લહાવો હોયતો સંતાન વગરની માતામાં અને પોતાનામાં ક્યાં ફેર પડે છે ? અકથ્ય સંતાપ વેદતી દેવકીજીના દેહમાંથી પરિતાપની, કોઈ ન જાણે એવી એક કંપારી છૂટી. દેવકીએ પોતાના છ પુત્રો-શ્રમણોને વંદન કર્યું. માતાની છાતીમાંથી દૂધની ધારાઓ વહી, એટલું છતાં એમનાથી બોલી જવાયું. “આવા સુંદર ભાગ્યશાળી પુત્રોને પણ હું રમાડી શકી નહિ, ખોળામાં બેસારી એમને ઉછેરી શકી નહિ એ મારા જીવનનું મોટામાં મોટું દુર્ભાગ્ય છે.” એટલું બોલતામાં એમનાં બન્ને નેત્રોમાંથી આંસુ વહી નીકળ્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002060
Book TitleArpan Kshamashraman
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy