SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ અર્પણ + ક્ષમાશ્રમણ ૧૮૦ લેવા આવવું પડે. એ નગરીને માટે લાંછનરૂપ નથી ? બીજી જગ્યાએથી સારો આહાર મળતો હોય તો આ શ્રમણો ફરી ફરીને એક સ્થાને શા સારુ આવે ? ખરેખર આમાં શ્રમણોનો વાંક નથી. વાંક છે દ્વારકાનો, વાંક છે દ્વારકાના શ્રીમંતોનો ! તપસ્વીઓને યોગ્ય આહાર જ એ લોકો નથી વહોરાવતા ! માતાઓ પોતાના બત્રીસાઓનો લીલામાત્રથી ત્યાગ કરે છે અને આ શ્રમણો પણ જગકલ્યાણ માટે ઉગ્ર પરિસહો સહે છે, માત્ર દ્વારકાવાસીઓને જ આ શ્રમણોની કંઈ નથી પડી ! તરુણ તપસ્વીઓ પ્રત્યે મમતા અને સમવેદનાથી દ્રવતું દેવકીનું હૃદય એક જ શ્રમણની જોડીને ત્રણ ત્રણ વાર એક જ ઘરઆંગણે આવતી જોઈને ખળખળી ઊઠ્યું : ત્રીજી વાર આવેલા શ્રમણોને પૂછ્યું : “મહારાજ, દ્વારકાવાસીઓ શું એટલા બધા સ્વાર્થી અને કંજૂસ બની ગયા છે કે આપના જેવા શ્રમણોને એકના એક જ ઘરે આહાર માટે ત્રણ ત્રણ વાર આવવું પડે છે ?' શ્રમણો, માતા દેવકીની મનની મૂંઝવણ સમજી ગયા. કારણ કે આ અનુભવ એમના માટે ઓચિંતો કે અણધાર્યો નહોતો. એમણે કહ્યું: “અમે છ ભાઈઓ સરખે-સરખી આકૃતિવાળા હોવાથી ઘણાને એવો ભ્રમ થાય છે. બાકી અમે તો છઠ્ઠના પારણે જુદા જુદા ઘરે વહોરતાં અકસ્માત જ અહીં આવી ચડ્યા છીએ. તમને સંશય થાય એ સ્વાભાવિક છે.’’ એક જ સરખી કાંતિવાળા, એક જ સરખા લાલિત્યવાળા આ છ શ્રમણો સહોદરો છે અને બે દિવસના ઉપવાસ પછી, દ્વારકાની શેરીઓમાં ફરતા ફરતા અચાનક જ પોતાના આંગણે આવી ચડ્યા છે તે જાણ્યા પછી દેવકી માતાનો ક્ષોભ સ્વાભાવિક રીતે જ શમી જવો જોઈએ, પણ એક વાર અતિમુક્ત મુનિએ કહેલી વાત એમના સ્મૃતિપટ ઉપર ફરી વળી. પોતાને આઠ પુત્રો થવાના છે અને આઠે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002060
Book TitleArpan Kshamashraman
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy