SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુચરિત સ્વ. ચી. ન. પટેલ ૭૭ લખેલું કે “હું મારા આંતરજીવનની દિશા બદલવાનો પ્રયત્ન કરી રહ્યો છું. વળગણો, અધ્યાસો અને માથા ઉપરનો ભાર ઓછો કરતો જાઉં છું. છાપાં વાંચવાનાં બંધ કર્યા છે. મનને ગમે તે જ વાંચું છું. નવું જ્ઞાન મેળવવાની દૃષ્ટિએ કંઈ વાંચતો નથી અને અગાઉથી વિચાર કરીને તૈયારી કરવી પડે એવું બોલવાનું કે લખવાનું કોઈ આમંત્રણ ન સ્વીકારવાનો સંકલ્પ કર્યો છે.” પટેલ સાહેબની શૈક્ષણિક અને સાહિત્યિક સિદ્ધિઓની વખતોવખત કદર થતી રહી હતી. કોલેજકાળમાં તેમને પારિતોષિકો અને શિષ્યવૃત્તિઓ સાંપડ્યાં હતાં. અધ્યાપનક્ષેત્રે એમણે કરેલા શ્રેષ્ઠ પ્રદાન માટે ગુજરાત સરકારનો એવોર્ડ મળ્યો હતો. સાહિત્ય માટે તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો અને ૧૯૮૩માં સાહિત્ય પરિષદના અધિવેશનમાં તેમને વિવેચન વિભાગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. અંગ્રેજી ભાષા અને સાહિત્યના અધ્યયન અને અધ્યાપનને કારણે પટેલ સાહેબમાં શિસ્તપાલન, સમયપાલન, કાર્યવ્યવસ્થા, વહીવટી સૂઝ, ચોક્કસાઈ વગેરે બ્રિટિશ નાગરિકમાં હોય એવાં ગુણો ખીલ્યા હતા. (આ ગુણો ભારતીય નાગરિકમાં ન હોય એવું નથી. પણ વર્તમાન સમયમાં સરકારી તંત્રમાં જે શિથિલતા, પ્રમાદ, ભ્રષ્ટાચાર, ગેરશિસ્ત વગેરે જોવા મળે છે એ સંદર્ભમાં બ્રિટિશ ગુણોની વાત છે.) પટેલ સાહેબે આઝાદી પહેલાંના ત્રીસેક વર્ષ બ્રિટિશ શાસન નિહાળેલું અને એમના ગ્રેજ્યુએટ પિતાશ્રી સરકારી નોકરીમાં હતા અને મામલતદાર અને આસિસ્ટન્ટ કલેક્ટરના પદ સુધી પહોંચ્યા હતા. એટલે ગુલામ અને સ્વતંત્ર એમ બંને ભારતમાં જીવવાનો પટેલ સાહેબને જે લાભ મળ્યો એથી બંનેની ઉત્તમ ખાસિયતો તેમના જીવનમાં જોવા મળતી હતી. પટેલ સાહેબના અવાજમાં મૃદુતાનો અને વાત્સલ્યભાવનો એક વિશિષ્ટ લહેકો હતો. તેઓ વાત કરે તો એટલી પ્રસન્નતાપૂર્વક કરે કે એમના હાવભાવ પરથી પણ તે આપણને સમજાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy