SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ ઉમાશંકર જોષીની “વિશ્વશાન્તિ' નામની સુપ્રસિદ્ધ કવિતા એ બુદ્ધિની નીપજ છે, હૃદયની નહિ.” પટેલ સાહેબ “નવનીત-સમર્પણ'માં આવતી “પાસપોર્ટની પાંખે' નામની મારી પ્રવાસ–લેખમાળા નિયમિત વાંચતાં અને પોતાનો આનંદ પત્રમાં વ્યક્ત કરતા. એટલે જ “પાસપોર્ટની પાંખે'નો બીજો ભાગ-ઉત્તરાલેખન જ્યારે પ્રગટ થયો ત્યારે એમણે એમાં “મૃતિની પાંખે' નામની પ્રસ્તાવના લખી આપી હતી. પટેલ સાહેબના જીવનમાં અત્યંત સાદાઈ હતી અને જીવનના છેલ્લાં વર્ષોમાં તો તે વધુ જોવા મળતી હતી. છેલ્લે ત્રણેક વખત હું અમદાવાદમાં એમને મળવા એમના નીલકંઠ પાર્કના ઘરે ગયો હતો ત્યારે તેઓ ઘરમાં ઉઘાડા શરીરે માત્ર ખાદીની અડધી ચડ્ડી પહેરીને બેઠા હોય. એ ચડ્ડી પણ ધોબીની ધેયેલી, સફેદ બાસ્તા જેવી ઇસ્ત્રીવાળી ચડ્ડી નહિ, એક ગાંધીવાદીને શોભે એવી હાથે ધોયેલી સાધારણ ચડી. શિયાળો હોય તો જરૂર પૂરતાં ગરમ કપડાં તેઓ પહેરતાં, પરંતુ એમનાં વસ્ત્રોમાં કશી ટાપટીપ નહિ. તેઓ સહજ રીતે રહેતા. કોઈ મળવા આવ્યું હોય તો પણ તેઓ અડધી ચડ્ડી પહેરીને બેસતાં સંકોચ અનુભવતા નહિ. વસ્તુતઃ રાનૌપચારિતા, સાદાઈ, અલ્પપરિગ્રહ, ત્યાગ, વૈરાગ્ય વગેરે તેમના જીવનમાં બરાબર વણાઈ ગયેલાં હતાં. ગાંધીજીનો એમના જીવન ઉપર ઘણો બધો પ્રભાવ પડ્યો હતો. થોડા વખત પહેલાં એમનાં પત્નીના અવસાન વખતે હું એમને મળવા ગયો ત્યારે પણ તેઓ અડધી ચડ્ડી પહેરીને બેઠા હતા અને એવા જ સ્વસ્થ હતા. એમનાં સંતાનો અને તેમાં એમની વિશેષતઃ પુત્રી દીનાબહેન એમનું ઘણું ધ્યાન રાખતાં. પટેલ સાહેબ રોજ રેડિયો પર ત્રણચાર કલાક શાસ્ત્રીય સંગીત સાંભળતાં. પરંતુ પત્નીના અવસાન પછી રેડિયો ન સાંભળવાની એમણે પ્રતિજ્ઞા લીધી હતી. અત્યંત પ્રવૃત્તિશીલ અને સક્રિય જીવન જીવનાર શ્રી પટેલ સાહેબે વાનપ્રસ્થાશ્રમમાં નિવૃત્ત જીવન જીવવાનું ચાલુ કર્યું ત્યારે એમણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy