SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુચરિત સ્વ. ચી. ના. પટેલ સાધુચરિત પ્રોફેસર, શેક્સપિયરનાં નાટકો અને આંગ્લ સાહિત્યના પ્રખર અભ્યાસી અને મર્મજ્ઞ વિવેચક, ગાંધીસાહિત્યના પણ ઊંડા અભ્યાસી, તેજસ્વી લેખક, સંપાદક પ્રો. ચીમનભાઈ નારણદાસ પટેલ (ચીના. પટેલ)નું ૮૬ વર્ષની વયે અમદાવાદમાં ૩૦મી જાન્યુઆરી, ૨૦૦૪ના રોજ અવસાન થયું. તેઓ જીવનનાં પાછલાં વર્ષોમાં એટલા બધા ગાંધીજીમય થઈ ગયા હતા કે જાણે કે પોતાના અવસાન માટે ગાંધીજીના સ્વર્ગારોહણની તારીખની રાહ જોતા ન હોય! અને ૩૦મી જાન્યુઆરી આવતાં એમણે સંકલ્પપૂર્વક દેહ છોડ્યો હોય એમ લાગે છે. - સ્વ. ચી. ના. પટેલ (ત્યારે સી. એન. પટેલ)નું નામ મેં વર્ષો પહેલાં સાંભળ્યું હતું. ઈ. સ. ૧૯૫૫-૫૬ના વર્ષમાં હું મુંબઈની ઝેવિયર્સ કોલેજ તરફથી અમદાવાદમાં નવી થતી ઝેવિયર્સ કોલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે એક વર્ષ માટે સેવા આપવા ગયો હતો ત્યારે મારું રહેવાનું અમારા એક વડીલના ઘરે ગોઠવાયું હતું. એમનાં દીકરી વસુબહેન (હાલ એડવોકેટ) ત્યારે ગુજરાત કોલેજમાં એમ.એ.નો અભ્યાસ કરી રહ્યાં હતાં. એમના સહાધ્યાયી મિત્ર શ્રી વિનોદભાઈ ત્રિવેદી પણ અમને મળવા આવતા. તે વખતે પટેલ સાહેબ એમને ઇંગ્લિશ ભાષા-સાહિત્ય વિશે ભણાવતા. વસુબહેન અને વિનોદભાઈ હંમેશાં પ્રો. ફિરોઝ દાવરસાહેબનાં વ્યાખ્યાનો ઉપરાંત પટેલ સાહેબનાં વ્યાખ્યાનોની પણ ભારોભાર પ્રશંસા કરતા. ત્યારે પટેલ સાહેબ પ્રો. સી. એન. પટેલ તરીકે વધુ જાણીતા હતા. પટેલ સાહેબનું નામ ત્યારે મેં પહેલી વાર સાંભળેલું અને મળવાનું નહોતું થયું તો પણ એમના પ્રત્યે ઘણો આદરભાવ થયો હતો. જ્યારે તેઓ ગુજરાત કોલેજમાં ઇંગ્લિશ ભાષા-સાહિત્યનો વિષય ભણાવતા ત્યારે તેઓ વિદ્યાર્થીઓ સાથે કે અન્ય અધ્યાપકો સાથે અંગ્રેજીમાં જ વાતચીત કરતા. તેઓ ઇંગ્લિશ ભાષા પોતાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy