SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ હેરી પૉટર કૃત્રિમ વંટોળથી વધે છે. આ નવલકથામાં બાલભોગ્ય અંશોનું પ્રમાણ ઘણું છે. એટલે વિદગ્ધ વાચકો અને વિવેચકો એનાથી એટલા આકર્ષાશે નહિ. એક શિક્ષિકાએ કહ્યું કે હેરી પોટર'માં મને જરાય રસ નથી પડતો, પણ મારા બધા વિદ્યાર્થીઓએ એ નવલકથા વાંચી લીધી હોય એટલે તેમની સાથે વાતચીત કરવા માટે મારે ફરજિયાત એ વાંચી જવી પડે છે. એક પાદરીએ કહ્યું કે હેરી પોટર'થી બાળકોમાં ડાકણવિદ્યામાં અંધશ્રદ્ધા જન્મશે. આ અભિપ્રાયની સામે બચાવ પણ થયો છે. પાશ્ચાત્ય સાહિત્યજગતમાં “બેસ્ટ સેલર'નો મહિમા ઘણો છે. કોઈ પણ ગ્રંથમાં કંઈક સત્ત્વ હોય તો જ તે વધુ વેચાય. આમ છતાં પાશ્ચાત્ય સાહિત્ય-વિવેચકો જ કહે છે કે “બેસ્ટ સેલર' એટલે “બેસ્ટ' જ એવું નથી. આ તત્કાલીન ઘટના છે. જે પુસ્તક ત્રીજી, ચોથી પેઢીએ પણ હોંશથી વંચાતું હોય તો એ પુસ્તકની ગુણવત્તા વધારે. હેરી પોટરે તત્કાલીન સામર્થ્ય બતાવ્યું છે. જ્યારે એ કાલગ્રસ્ત થઈ જાય તે કોણ કહી શકે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy