SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ બનાવવું જોઇએ. એ માટે તપ, ત્યાગ અને સ્વાધ્યાયમય પોતાનું જીવન હોવું જોઇએ. તદુપરાંત વડીલોએ પોતાના આશ્રિતોના શરીરની પૂરી કાળજી રાખવી જોઇએ અને તેમને બહુ વાત્સલ્ય આપવું જોઇએ. વાત્સલ્યથી વશ થયેલો શિષ્ય વડીલોની સૂચના પ્રમાણે બધું કરવા તૈયાર થઈ જશે. તેઓ નવદીક્ષિતને કેટલીક વાર સલાહ આપતા કે સાધુજીવનમાં સંયમના માર્ગે ઝડપથી આગળ વધવું હોય તો ત્રણ કક્કાને તિલાંજલિ આપજો. એ ત્રણ કક્કા તે કારશી, કાળિયો અને કાળું પાણી. કારશી એટલે નવકારશી. જેઓને નવકારશીની ટેવ પડી જાય છે તેનામાં પ્રમાદ આવી જાય છે. બને તો ફક્ત એક ટંક કે બે ટંક ગોચરી વાપરવી. જરૂર પડે તો પોરસી કરવી, પણ નવકારશી ન કરવી. કાળિયો એટલે કષાયો. રિસાઈ જવું, મોંઢું ચડાવવું, અભિમાન કરવું, ક્રોધ કરવો વગેરે અને કાળું પાણી એટલે ચા. એક વખત ચાની ટેવ પડી ગઈ પછી એના સમયે ચા વગર માથું દુઃખશે. માટે ભૂલે ચૂકે ચાનું વ્યસન ન થવા દેતા. પૂજ્ય મહારાજશ્રી પોતાના શિષ્યોને વય, કક્ષા, શક્તિ અને પ્રકૃતિ અનુસાર શિખામણ આપતા. તેઓ કહેતા કે સંયમ અને સ્વાધ્યાયમાં સતત આગળ વધવાનું લક્ષ્ય રાખવું, એમાં એકલીનતા રાખવી, ને ત્રુટિ દેખાય તે તરત સુધારી લેવી. એમાં પ્રમાદ ન કરવો. વૈયાવચ્ચ અને ભક્તિ કરવાં. એ બધાં નિર્જરાનાં અંગ છે; સંજ્ઞાઓ અનાદિની છે, એ જોર કરે પણ આપણે તેની સામે જોર વાપરવું, અનુકૂળતા-પ્રતિકૂળતામાં મધ્યસ્થ રહેવું, નવકારશી કરવી પડે તો પણ એનું વ્યસન ન થવા દેવું, કોઈના પણ પ્રત્યે વિચારીને બોલવું, જેમ તેમ બોલી ન નાખવું, વડીલો સમક્ષ બે હાથ જોડીને જ વાત કરવી, પોતાની ભૂલ થાય તો તરત “મિચ્છામિ દુક્કડ' આપવો, ગુરુમહારાજ કહે તે “તહરિ' કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy