SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ વીસમી સદીના સર્વોચ્ચ દીક્ષાદાતા ૪૭ કમકમા આવે છે. મારે એવો ઉપચાર નથી કરવો. આપણને ધર્મની સાચી શ્રદ્ધા મળી છે, તો પછી અધર્મનું, પાપનું આચરણ શા માટે કરવું ? હું તો સમતાભાવે વેદના સહન કરી લઈશ.” જીવનના પાછલાં વર્ષોમાં જ્યારે એમની તબિયત નરમગરમ રહેતી હતી ત્યારે એક વૈદે ઉપચાર તરીકે એમને મમરા ખાવાનું સૂચવ્યું હતું. એથી એમને સારું લાગતું હતું. પણ એક દિવસ એમણે શિષ્યોને સૂચના આપી દીધી કે ગોચરમાં મમરા વહોરી ન લાવે, કારણ કે મમરા ખાવામાં પોતાને સ્વાદ આવવા લાગ્યો છે. શરીર સારું કરવા માટે જતાં સ્વાદેન્દ્રિયને સંતોષવા તેઓ ઈચ્છતા નહોતા. પોતાનું શરીર વ્યાધિગ્રસ્ત થયું હતું તો પણ ક્રિયામાં તેઓ અપ્રમત્ત રહેતા. તેમણે એવો એક અભિગ્રહ ધારણ કર્યો હતો કે ગોચરી વાપરતી વખતે એંઠા મોંઢે ક્યારેય કશું બોલવું નહિ. ભૂલથી બોલાઈ જાય અને પછી જ્યારે પણ યાદ આવે ત્યારે તરત વીસ ખમાસમણાં દેવાં. વૃદ્ધાવસ્થામાં, જીવનના છેલ્લાં વર્ષોમાં શરીર જ્યારે અશક્ત થઈ ગયું હતું ત્યારે એક દિવસ ગોચરી વાપર્યા પછી બધા સાધુઓ પોતપોતાના અધ્યયનમાં લીન થઈ ગયા હતા, ત્યાં અચાનક મહારાજશ્રી હાથમાં રજોહરણ લઈ ઊભા થઈ ખમાસમણાં આપવા લાગ્યા. બીજા મુનિઓએ પૂછ્યું તો કહ્યું, “હમણાં મારાથી ભૂલથી એંઠા મોંઢે બોલાઈ ગયું એટલે મારા અભિગ્રહ મુજબ વીસ ખમાસમણાં આપું છું.” પોતાના હાથ નીચે ના સાધુઓને પંચાચારના પાલનમાં પ્રોત્સાહિત કરવા માટે પૂ. મહારાજશ્રીએ પોતાના વડીલ શિષ્ય સાધુઓને શિખામણ આપતાં કહ્યું હતું કે જો વડીલોએ સારા શિષ્યો તૈયાર કરવા હોય તો તેઓએ કેટલીક વાતનો બરાબર ખ્યાલ રાખવો જોઇએ. વડીલોએ આશ્રિતોને ખાનપાનની બાબતમાં વારંવાર ટોકવા ન જોઇએ. વળી વડીલોએ પોતાનું જીવન પ્રેરક ઉદાહરણરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy