SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ વીસમી સદીના સર્વોચ્ચ દીક્ષાદાતા આવ્યા અને કહ્યું. “જો, આજે મારી ગોચરી-દાળ અને રોટલી એ બે જ દ્રવ્ય તું મારે માટે વહોરી લાવે તો જ મારે ગોચરી વાપરવી છે. પણ શરત એટલી કે તારે મારી સાથે ગોચરી વાપરવી પડશે.” આથી એ મુનિ મહારાજ માટે દ્વિઘા ઊભી થઈ. ગોચરી વહોરી લાવે તો પારણું કરવું પડે અને ન વહોરી લાવે તો ગુરુ મહારાજને ઉપવાસ થાય.” એટલે તરત તેઓ પાત્રા લઈને ગયા અને ગોચરી વહોરી લાવીને પૂ.મહારાજશ્રીના હસ્તે પારણું કર્યું. વિ.સં.૨૦૨૩નું ચાતુર્માસ ખંભાત કરવાનો નિર્ણય પૂ. મહારાજશ્રીએ, ખંભાતના સંઘની વિનંતીને માન્ય રાખીને કર્યો. ત્યારે તેઓ અખાત્રીજના પારણા પ્રસંગે પાલિતાણા હતા. ત્યાંથી વિહાર કરીને તેઓ ખંભાત પધાર્યા. એ દિવસોમાં નાદુરસ્ત તબિયતને કારણે પૂ. મહારાજશ્રીથી લાંબો વિહાર થતો નહોતો. વળી ભાડૂતી ડોડીવાળાની ડોળીમાં એમને બેસવું નહોતું. પરંતુ મહારાજશ્રીના શિષ્યોનો ભક્તિભાવ એટલો બધો હતો કે તેઓ પોતાને ખભે ઊંચકીને પૂ.મહારાજશ્રીને જ્યાં જવું હોય ત્યાં લઈ જવા તૈયાર હતા. એ માટે ચાર ખભે દડા લઈ શકાય એવી ઝૂલતી ઝોળી (સ્ટ્રેચર જેવી) ખાસ બનાવવામાં આવી હતી. એમાં પૂ. મહારાજશ્રીને બેસાડીને લઈ જવામાં આવતા. ત્યારે પૂ. શ્રી ભાનવિજયજી મહારાજ (પછી પૂ. ભુવનભાનુસૂરિ), પૂ. શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ, પૂ. શ્રી હિમાંશવિજયજી મહારાજ, પૂ. શ્રી મલયવિજયજી મહારાજ વગેરેને પોતાના ગુરુદેવને ઝૂલતી ડોળીમાં ઊંચકીને ચાલતા જોવા એ પણ એક અનેરું દશ્ય હતું. પૂ. મહારાજશ્રી વચનસિદ્ધ હતા. એમના મુખમાંથી જે પ્રમાણે નીકળતું, અચૂક એ પ્રમાણે થતું. એથી જ જ્યારે તેઓ વ્રત માટે પચ્ચખાણ લેવાનું કહેતા ત્યારે પચ્ચખાણ લેનાર વ્યક્તિ પોતે લીધેલું વ્રત બહુ સારી રીતે ઉલ્લાસપૂર્વક પાળી શકતી. આથી જ એમની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy