SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ મહારાજશ્રીએ એની કમર પર ઊભા રહીને એવી હળવી રીતે દબાવી આપી કે એ શિષ્યનો દુખાવો તરત મટી ગયો હતો. પોતે મોટા આચાર્ય છે એવી સભાનતા તેઓ ક્યારેય રાખતા નહિ. મહારાજશ્રીમાં વાત્સલ્યભાવ પણ ઘણો હતો. એક બાલમુનિ પિંડવાડાના હતા. એક વખત પૂ. મહારાજશ્રી સાથે તેઓ બધા પિંડવાડા પધાર્યા ત્યારે બાલમુનિના સંસારી સ્વજનો એ એમને ગોચરીમાં એક પિપરમિન્ટ વહોરાવી. બાલમુનિને એવો ભાવ થયો કે પિપરમિન્ટ પોતે વાપરે એને બદલે ગુરુ મહારાજ વાપરે તો પોતાને વધુ આનંદ થશે. એમણે ગોચરી વખતે પૂ. મહારાજશ્રીને એ પિપરમિન્ટ આપી. મહારાજશ્રીએ કહ્યું, “ભાઈ, આવી વસ્તુઓ તો તમારા જેવા બાલમુનિ માટે હોય. અમે તો બુઢા થયા. પરંતુ બાલમુનિનો આગ્રહ એટલો બધો હતો કે મહારાજશ્રી ના ન કહી શક્યા. બાલમુનિએ પિપરમિન્ટ મહારાજશ્રીના મોંમાં ધરી કે પૂ. મહારાજશ્રીએ તરત એ પેટમાં ઉતારી દીધી. બાલમુનિએ અફસોસ વ્યક્ત કરતાં બોલ્યાં, “અરે સાહેબ! આમ કેમ કર્યું ?' મહારાજશ્રીએ કહ્યું, “આ ગોળી જો મોંમાં રાખીને ચૂસીએ તો સ્વાદ આવે અને રાગનો ભાવ થાય. રાગ સંસારમાં રખડાવે એટલે આવી વસ્તુ હું ક્યારેય વાપરતો નથી, પણ તારો પ્રેમ અને ભાવ એટલો બધો હતો કે હું ના ન પાડી શક્યો. એટલે મેં આ રસ્તો કાઢ્યો.” એક વખત એક મુનિ મહારાજની વર્ધમાન તપની આયંબિલની ઓળી ચાલતી હતી. એમાં એમની તબિયત એકદમ બગડી ગઈ. બીજા શિષ્યોએ પારણું કરવાનો આગ્રહ કર્યો, પણ તેમ ન કરવા માટે મુનિ મહારાજ મક્કમ હતા. પણ એથી તો અશક્તિ ઘણી બધી વધી ગઈ. પૂ. મહારાજશ્રીને ખબર પડી એટલે તેઓ એમની પાસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy