SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ પાસે પચ્ચખાણ લેવા માટે પડાપડી થતી. એક વખત પૂ. મહારાજશ્રી અમદાવાદથી ખંભાત પધાર્યા હતા. તે વખતે ખંભાતના સંઘે પૂ. મહારાજશ્રીને ચાતુર્માસ માટે રોકાઈ જવા બહુ વિનંતી કરી પણ પૂ. મહારાજશ્રીએ ચાતુર્માસ અમદાવાદમાં કરવાનો નિર્ણય કર્યો હતો એટલે ખંભાતનો સંઘ અત્યંત નિરાશ થઈ ગયો. છેવટે કોઈ મોટા આચાર્યને મોકલશે એમ કહ્યું. પછી પૂ. મહારાજશ્રીએ એમના એક સમર્થ શિષ્ય પૂ. શ્રી હેમચંદ્રસૂરિજીને ખંભાતમાં ચાતુર્માસ માટે જવા કહ્યું. પરંતુ પૂ. હેમચંદ્રસૂરિજીએ ખંભાતમાં ત્રણ ચાતુર્માસ કર્યા હતાં. એટલે એમણે પૂ. મહારાજશ્રીને કહ્યું, “ગુરુદેવ, મેં ખંભાતમાં ત્રણ ચાતુર્માસ કર્યા. હવે તરત ચોથું કરવાની ઈચ્છા નથી.” પૂ. મહારાજશ્રીએ કહ્યું, “તમારી ભલે ઈચ્છા ન હોય, પણ તમારે ખંભાતમાં જ ચાતુર્માસ કરવાનું છે. તમે પાંચ છો તે દસ થઈને પાછા આવશો.” અને ખરેખર એમ જ થયું. ગુરુ ભગવંતની આજ્ઞા થઈ એટલે પછી વિચારવાનું જ શું ? પૂ. હેમચંદ્રસૂરિજીએ ચોથું ચાતુર્માસ ખંભાતમાં જ કર્યું. એમનાં વૈરાગ્યગર્ભિત વ્યાખ્યાનોનો એટલો બધો પ્રભાવ પડ્યો કે પાંચ યુવાનો એમની પાસે દીક્ષા લેવા તૈયાર થઈ ગયા. ખરેખર, પૂ. મહારાજશ્રીએ જેવી વાણી ભાખી હતી તેવું જ થયું. પૂ. મહારાજશ્રીના ચમત્કારિક અનુભવ ઘણાંને થયા છે. કેટલાકે પોતાના એવા અનુભવો વિશે લખ્યું પણ છે. મહારાજશ્રીના આશીર્વાદથી કોઇને શ્લોકો યાદ રહેવા લાગ્યા હોય, એમના નામનો જાપ કરવાથી કોઈના ઉપસર્ગો દૂર થઈ ગયા હતા, ભૂલા પડેલા કોઇકને રસ્તો જડી ગયો હતો, કોઇનો તાવ ઊતરી ગયો હતો, કોઈનો માનસિક રોગ કે ક્ષયરોગ મટી ગયો હતો, કોઈનો કામાગ્નિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy