SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ વીસમી સદીના સર્વોચ્ચ દીક્ષાદાતા ૩૭ હોય એવું ક્યારેય બનવા દેતા નહિ. તેઓ જૈનોના ઘરેથી સાધુને માટે ખાસ બનાવેલી વાનગી વહોરતા નહિ, પરંતુ જરૂર પડે તો અજૈન ઘરોમાંથી નિર્દોષ ગોચરી વહોરતા. તેઓ પોતાના શિષ્યોને પણ એ પ્રમાણએ સૂચના આપતા. એક વખત મહારાજશ્રી રાધનપુર તરફ વિહાર કરી રહ્યા હતા. રસ્તામાં એક ગૃહસ્થ શ્રાવકો માટે રસોડું ચાલુ કર્યું હતું. પરંતુ મહારાજશ્રીએ ત્યાંથી વહોર્યું નહિ. એમની સૂચનાનુસાર એમને માટે લુખ્ખા ખાખરા અને ગોળ એક મુનિ મહારાજ વહોરી લાવ્યા. એ વખતે એક વૃદ્ધ મુનિએ કહ્યું, “મને ભૂખ બહુ લાગી છે. અશક્તિ લાગે છે. લુખ્ખા ખાખરા મને નહિ ફાવે. એથી મને પિત્ત થાય છે, માટે મને રસોડે ગોચરી વહોરવાની રજા આપો.” મહારાજશ્રીએ તરત એમને રજા આપી. તેઓ તૈયાર થઈને નીકળતા હતા ત્યાં જોયું કે પોતાના ગુરુ મહારાજ તો ખાખરા વાપરીને એકાસણું કરવા બેસી ગયા છે. તેઓ ગોચરી વહેરવા બહાર ગયા ખરા, પણ અડધેથી પાછા આવ્યા અને કહ્યું, “મારે રસોડાની ગોચરી નથી વાપરવી. હું પણ આપની સાથે લુખ્ખા ખાખરા વાપરીશ.” લશ્કરમાં જેમ એક સ્થળેથી કૂચ કરીને દૂરના બીજા કોઈ સ્થળે પહોંચવાનું હોય ત્યારે ત્યાં પહોંચ્યા પછી ઉપરી અધિકારી સૈનિકોની સંખ્યા બરાબર છે કે કોઈ છૂટું પડી ગયું છે તેની ગણતરી કરી લે, તેમ પૂ. મહારાજશ્રી સામાન્ય રીતે ૩૦-૪૦-૫૦ કે ૮૦-૧૦૦ શિષ્યો સાથે વિહાર કરતા. વિહારમાં એમની પણ એ જ પદ્ધતિ હતી કે સંખ્યા ગણી લેવી. જૂના વખતમાં સીધી સડકો ઓછી હતી. ક્યારેક વગડામાંથી કે ખેતરોમાંથી પણ વિહાર થતો. ત્યારે કોઈક વખત એક સાધુ, કોઈક વખત બેપાંચ સાધુ ભૂલા પડતા. તો તેમની શોધ કરવા માટે તરત શ્રાવકોને મોકલતા. ક્યારેક અંધારું થઈ ગયું હોય તો ફાનસ સાથે માણસોને મોકલતા. ભૂલા પડ્યા પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy