SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ - - - - - અંધારી રાત થઈ ગઈ હોય અને ઝાડ નીચે મુકામ કર્યો હોય એવા સાધુઓની પણ ભાળ મેળવીને ઉપાશ્રયે લઈ આવતા. એકવાર સાધુઓની સંખ્યા એક ઓછી થતી હતી અને ખબર નહોતી પડતી કે કોણ બાકી રહી ગયું છે. ત્યારે એક શિષ્ય ધ્યાન ખેંચેલું કે, મહારાજશ્રી, નીકળતી વખતે સંખ્યામાં અમે આપની પણ ગણના કરી હતી અને અત્યારે આપ પોતાને ગણતા નથી. પોતાની ભૂલ સમજાતાં મહારાજશ્રીના ચહેરા પર નિર્દોષ હાસ્ય પ્રસરી રહ્યું હતું. વિહાર હોય ત્યારે મહારાજશ્રી પોતાના શિષ્યોની પૂરી કાળજી રાખતા. એક વખત પૂ. મહારાજશ્રી ભાવનગરમાં બિરાજમાન હતા ત્યારે બે સાધુઓ ભાવનગર આવી રહ્યા હતા. ઉનાળાના દિવસો હતા અને વિહાર લાંબા હતા. એમાં મુનિ ભક્તિવિજયને વિહારમાં તરસ બહુ લાગી હતી. એથી થાક લાગ્યો હતો અને ચાલવામાં મંદતા આવી ગઈ હતી. એવામાં દૂરથી બે સાધુઓ આવતા દેખાયા. નજીક આવ્યા ત્યારે ખબર પડી કે તેઓ તો પોતાના જ ગુરુબંધુ છે. તેઓ આમ ક્યાં જતાં હશે એવો પ્રશ્ન થયો. ત્યાં તો તેઓ પાસે આવી પહોંચ્યા. કહ્યું, “ગુરુ મહારાજે અમને પાણી અને છાશ લઈને મોકલ્યા છે. ગુરુ મહારાજે કહ્યું કે “ભક્તિવિજયને વિહારમાં તરસ બહુ લાગે છે માટે તમે પાણી અને છાશ લઈને સામા જાવ.” પાણી મળતાં ભક્તિવિજયને અત્યંત હર્ષ થયો. થાક ઊતરી ગયો. પોતાના ગુરુ મહારાજ કેટલું બધું ધ્યાન રાખે છે એ જાણીને ભાવથી મસ્તક નમી ગયું. પૂ. મહારાજશ્રીને અમદાવાદમાં વિ.સં. ૨૦૧૮ના ચૈત્ર વદ પના રોજ ૧૨૦ મહાત્માઓની હાજરીમાં દસ મુદ્દાનો પટ્ટક જ્ઞાનમંદિરમાં પાટ પરથી વાંચી સંભળાવ્યો હતો. એ વખતે એમના મુખ્ય પટ્ટધર પૂ. આચાર્યદેવ શ્રી રામચંદ્રસૂરિ પણ ઉપસ્થિત હતા. આ પટ્ટક કડક સાધુ-સામાચારી માટે હતો. અને સૌએ તે સહર્ષ સ્વીકાર્યો હતો. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy