SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ ગયા. આ જયલક્ષ્મી કોણ ? અને મને શા માટે પત્ર લખે ? મારે કોઈ મહિલાઓ-શ્રાવિકા કે સાધ્વી સાથે પત્રવ્યવહાર હોતો નથી, તો પછી આ પત્ર શા માટે આવ્યો?' તપાસ કરતાં જાણવા મળ્યું કે ‘જયલક્ષ્મી' એટલે મહારાજશ્રીના પોતાના જ બે ચેલા જયવિજયજી અને લક્ષ્મીવિજયજી. તેઓએ સંયુક્ત નામે પત્ર લખ્યો હતો માટે ‘જયલક્ષ્મી’ લખ્યું હતું. પરંતુ મહારાજશ્રીને એ ગમ્યું નહિ. એમણે એ શિષ્યોને ઠપકો આપ્યો અને આવી રીતે સંયુક્ત નામે કોઈને પણ પત્ર ન લખવા માટે આજ્ઞા કરી હતી. મહારાજશ્રી ભક્તો વગેરે સાથે ટપાલ-વ્યવહાર બહુ ઓછો રાખતા. વિજાતીય વ્યક્તિ સાથે તો બિલકુલ નહિ. પોતાના શિષ્યો પણ એવો વ્યવહાર ન રાખે એ માટે તેઓ ચીવટ રાખતા. રોજેરોજ આવેલી બધી ટપાલ પોતે જોઈ જતા. શિષ્યો ઉપર આવેલી ટપાલ પણ પોતે ખોલીને વાંચતા. પોતે પૂનામાં હતા ત્યારે એક દિવસ એક પત્ર વાંચીને પૂ. મહારાજશ્રીએ પૂ. ભાનુવિજયજીની ખબર લઈ નાખી કે તમારે કોઈ શ્રાવિકાનો આવો પત્ર આવે જ કેમ ? પૂ.શ્રી ભાનુવિજયજી પણ વિમાસણમાં પડી ગયા. પત્ર વાંચીને કહ્યું કે પોતે એવી કોઈ શ્રાવિકાને ઓળખતા નથી. પછી એમણે પૂ. મહારાજશ્રી પાસે કવર જોવા માગ્યું. તે વાંચતા જ વાત સમજાઈ ગઈ. જૂલર ગામના સરનામે લખાયેલો પત્ર ભૂલમાં નામસામ્યને કારણે પૂના આવી ગયો. જૂલરમાં એ સમયે બીજા એક ભાનુવિજય મહારાજ બિરાજમાન હતા, એમના માટે એ પત્ર હતો. પૂ. મહારાજશ્રી પોતાને માટે ખાસ બનાવેલી ઉદ્દિષ્ટ પ્રકારની ગોચરી વહોરતા નહિ. એવી દોષિત-આધાકર્મી ગોચરીને બદલે તેમનો આગ્રહ શાસ્ત્રાજ્ઞાનુસાર નિર્દોષ ગોચરી વહોરવાનો રહેતો. પોતે વિહારમાં હોય અને આગળ પોતાને માટે રસોડાં ચાલતાં For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy