SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ વીસમી સદીના સર્વોચ્ચ દીક્ષાદાતા ૨૧ સ્થાપવામાં આવ્યા અને એમને આચાર્યની પદવી આપવામાં આવી. પાટણથી વિહાર કરી પૂ. શ્રી દાનવિજયજી મહારાજ પોતાના શિષ્ય પૂ. શ્રી પ્રેમવિજયજીને લઈને વડોદરા પધાર્યા. પૂ. શ્રી દાનવિજયજી મહારાજે આગમોનો સંગીન અભ્યાસ કરી લીધો હતો. એમને “સકલાગમ રહસ્યવેદી' કહેવામાં આવતા. એમણે પોતાના શિષ્ય પૂ. મહારાજશ્રીને અહીં સંસ્કૃત ભાષા અને વ્યાકરણ, કાવ્યાદિના ગ્રંથો, ન્યાય અને તર્કના ગ્રંથો, આગમો, પ્રકરણગ્રંથો વગેરેનો સઘન અભ્યાસ કરાવ્યો. દરમિયાન એમણે પોતે પણ ભગવતી સૂત્રના યોગોદ્વહન કર્યા અને એમને ખંભાતના સંઘ ગણિપદ અને પંન્યાસપદ આપ્યું. ત્યારપછી તેઓએ પાલનપુર, ભરુચ, ખંભાત, છાણી વગેરે સ્થળે ચાતુર્માસ કર્યા. દરમિયાન પૂ. મહારાજશ્રીનો અભ્યાસ પણ ચાલતો જ રહ્યો હતો. અભ્યાસ માટે એમની લગની એટલી તીવ્ર હતી કે છાણીથી વિહાર કરીને તેઓ રોજ સવારે વડોદરા જતા, ત્યાં પંડિતજી પાસે અભ્યાસ કરતા અને ભર તડકામાં પાછા ફરતા. કોઈવાર પંડિતજી ઘરે ન હોય કે એમને અનુકૂળતા ન હોય તો ધક્કો થતો, પરંતુ એથી પૂ. મહારાજશ્રી ક્યારેય અપ્રસન્ન થતા નહિ. પૂજ્ય મહારાજશ્રીએ પોતાના શરીરને હવે એવું કેળવ્યું હતું કે ઉનાળામાં તપેલી જમીન પર તેઓ ઉલ્લાસથી ચાલતા. પગ બળતા હોય તો પણ તેઓ ઉતાવળ કરતા નહિ કે છાંયડો શોધતા નહિ. છાણી અને લીંબડીમાં ચાતુર્માસ કર્યા પછી આચાર્ય ભગવંત પ. પૂ. કમલસૂરિજીએ પ. પૂ. ઉપાધ્યાય શ્રી વીરવિજયજી સાથે પંજાબ બાજુ વિહાર કર્યો અને ત્યાં ઉપરાઉપરી બે ચાતુર્માસ અંબાલામાં . પૂ. મહારાજશ્રીએ પંજાબની ધરતી પર આ પહેલી વાર પદાર્પણ કર્યું હતું અને તે છેલ્લી વારનું હતું. પૂ. મહારાજશ્રી પોતાના ગુરુભગવંત સાથે અંબાલાથી વિહાર કરી ચાતુર્માસ બીકાનેરમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy