SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ ફરીને વડોદરા પધાર્યા. ત્યાં જ્ઞાનભંડારનું અને વિદ્યાભ્યાસનું કાર્ય કરવાનું હતું. પૂ. મહારાજશ્રીએ વડોદરામાં પોતાનો વિદ્યાભ્યાસ એટલો ગહન કર્યો કે હવે સંસ્કૃત ભાષામાં પણ તેઓ વાર્તાલાપ કરતા હતા. તે વખતે વડોદરાના ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ અને સેન્ટ્રલ લાયબ્રેરીના નિયામક શ્રી અનંતકૃષ્ણ અને પૂ. મહારાજશ્રી મળે ત્યારે પરસ્પર સંસ્કૃતમાં વાર્તાલાપ કરતા. પૂ. મહારાજશ્રી ત્યાંની જૈન હસ્તપ્રતો જોઇને આશ્ચર્યચકિત થઈ ગયા. એમને લાગ્યું કે આ બધા સાહિત્યને સંપાદિત-પ્રકાશિત કરવાનું કામ એક માણસનું નથી. એ માટે દસપંદર મુનિઓને તૈયા૨ ક૨વા જોઇએ. ૨૨ પૂ. મહારાજશ્રી એક વખત લાયબ્રેરીમાં હતા ત્યારે ગાયકવાડ નરેશ શ્રી સયાજીરાવ ત્યાં પધાર્યા. પૂજ્ય મહારાજશ્રી સાથેની વાતચીતથી તેઓ અત્યંત પ્રભાવિત થયા અને ત્યાર પછી તો લક્ષ્મીવિલાસ નામના રાજમહેલમાં પૂ. શ્રી દાનવિજયજી અને પૂ. મહારાજશ્રીનાં પ્રવચનો થયાં. વડોદરા પછી ત્યાં પાસે જ આવેલા દાપરા નામના ગામમાં પૂ. શ્રી દાનવિજયજી મહારાજે પોતાના શિષ્યો સાથે ચાતુર્માસ કર્યું. આપણને આશ્ચર્ય થાય કે આવા નાના ગામડાની પસંદગી તેઓએ ચાતુર્માસ માટે કેમ કરી હશે ! પરંતુ તે સપ્રયોજન હતી. એક તો પૂ. મહારાજશ્રીનો ત્યાં એકાન્તમાં અભ્યાસ સારો થાય અને પાદરાથી આવતા ત્રિભુવન નામના એક દીક્ષાર્થી (ભવિષ્યના પ. પૂ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ) સાથે ગાઢ પરિચય થાય. પાદરાથી ધાર્મિક માસ્તર ઉજમશીભાઈ રજાના દિવસે પોતાના વિદ્યાર્થીઓને લઇને દરાપરા આવતા અને ત્યાં પૂજા ભણાવતા. એમાં ત્રિભુવન નામનો એક તેજસ્વી વિદ્યાર્થી આવતો હતો. સાત વર્ષની ઉંમર સુધીમાં એણે પોતાનાં માતા-પિતા ગુમાવ્યાં હતાં. પિતાનું તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy