SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ હતા. મુખ્ય ભગવાનનાં દર્શન કરવા હોય તો અંદર જવું પડે. મંદિરના દરવાજા આગળ જેમ જેમ પ્રવાસીઓ આવતા જાય તેમ ચોકીદાર ના પાડતો જાય. મારા મિત્રે કહ્યું આપણને દર્શન કરવા નહિ મળે. ‘અમે જૈન છીએ.’ એમ કહ્યું તો પણ ચોકીદારે ના પાડી. એટલે મેં બૂમ પાડી મુનિ મહારાજને કહ્યું, ‘નમોસ્તુ મહારાજ.' એ સાંભળતાં મહારાજે ચોકીદારને કહ્યું, ‘અરે ખોલ દો ભાઈ, એ અપનેવાલે હૈ.' તરત દરવાજો ખૂલ્યો અને અમે અંદર ગયાં. ચોકીપહેરો કડક રાખવાનું મહારાજશ્રીએ કારણ સમજાવ્યું. અમને ચંદ્રપ્રભુનાં અને મહારાજીશ્રીનાં દર્શન કરવાનો લાભ મળ્યો. ૧૪ ખંડિગિરનાં મંદિરો અને ગુફાઓ નિહાળી અમે ત્યાં એક સ્થળે આરામ કરવા બેઠાં. ઉદયગિરિ અને ખંગિરિમાં સૌથી મહત્ત્વનું અંગ તે શિલાલેખ છે. એમાં કલિંગ ચક્રવર્તી મહારાજા ખારવેલ માટે મહામેઘવાહન, ક્ષેમરાજા, ભિક્ષુરાજા અને ધર્મરાજા જેવાં વિશેષણો વપરાયાં છે એ ઉપ૨થી એમની તેજસ્વી બહુમુખી પ્રતિભાનો પરિચય મળી રહે છે. વળી એમને અપ્રતિહત સેના–બલના અધિકારી અને શાસન ચક્રધારક કહેવામાં આવ્યા છે. પોતે શાસન-સમ્રાટ હોવા છતાં એક સદાચારી શ્રાવક તરીકે જ એમણે પોતાની જાતને રજૂ કરી છે. મહારાજા ખારવેલના જીવનની દુઃખદ ઘટના એ છે કે એમનો સ્વર્ગવાસ ભરયુવાનીમાં ૩૮-૪૦ વર્ષ જેટલી નાની વયે થયો હતો. જાણે મધ્યાહ્ને સૂર્યાસ્ત ! એમના સ્વર્ગવાસનો નિશ્ચિત સમય હજુ સુધી જાણવા મળ્યો નથી, પણ તેઓ વધુ જીવ્યા નથી એમ ઇતિહાસકારો કહે છે. રાજ્યારોહણ પછી પંદરેક વર્ષનો જે સમય એમને મળ્યો એમાં તેમણે રાજ્યક્ષેત્રે, સમાજક્ષેત્રે અને ધર્મક્ષેત્રે કેટલું બધું ભગીરથ કાર્ય કરી લીધું હતું ! નાની વયમાં આટલી બધી સિદ્ધિઓ મેળવી એ પરથી તેઓ કેટલા પ્રતાપી, પરાક્રમી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy