SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયગિરિ-ખંડગિરિ દયાળુ અને ધર્મશ્રદ્ધાવાળા હશે ! ભારતના ઇતિહાસમાં એમનું નામ સુવર્ણાક્ષરે લખાવું જોઇએ. શિલાલેખમાં મહારાજા ખારવેલનો ઉલ્લેખ ભિક્ષુરાજ, ધર્મરાજ તરીકે થયેલો છે. એમ મનાય છે કે એમણે રાજ્યશાસનનું મહત્ત્વનું કાર્ય કરી લીધા પછી ભિક્ષુ-સાધુ તરીકેનું જીવન સ્વીકારી લીધું હશે અને એમણે ભિક્ષ તરીકે દેહ છોડ્યો હશે. ઉદયગિરિ અને ખંડિંગરિની અમારી મુલાકાત એક યાદગાર મુલાકાત બની ગઈ. ભારતના ભવ્ય ભૂતકાળને નજર સમક્ષ તાદેશ કરવાનો એક અનેરો અવસર સાંપડ્યો અને ધન્યતા અનુભવી. [કલિંગ રાજ્ય અને મહારાજા ખારવેલ વિશે હવે ઇતિહાસના કેટલાક ગ્રંથોમાં સારી માહિતી સાંપડે છે. હિંદીમાં શ્રી કાશીપ્રસાદ જાયસ્વાલે સારી મહેનત કરીને ખારવેલ વિશે લેખ લખ્યો છે, જે હિંદીમાં કેટલાક પાઠ્યપુસ્તકોમાં પણ લેવાયો છે. ગુજરાતીમાં ઇ. સ. ૧૯૩૮માં શ્રી સુશીલ (ભીમજી હરજીવન) નામના લેખકે ‘કલિંગનું યુદ્ધ અને મહામેઘવાહન મહારાજા ખારવેલ' નામનું પુસ્તક લખ્યું છે. તાજેતરમાં પ. પૂ. શ્રી પૂર્ણચંદ્રસૂરિજીએ ‘ખારવેલ’ નામનું પુસ્તક વાર્તારૂપે રસિક શૈલીએ લખ્યું છે.] Jain Education International ૧૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy