SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયગિરિ-ખંડગિરિ રહે નહિ. આ ટેકરી પર જે ગુફાઓ છે એમાં કોતરાયેલી તીર્થંકરોની નગ્ન મૂર્તિઓ પરથી સ્પષ્ટ છે કે આ દિગંબર તીર્થ છે. જો કે મહારાજા ખારવેલના વખતમાં શ્વેતામ્બર અને દિગંબર એવા ભેદ થયા હોય એવો સંભવ નથી. ૧૩ મહારાજા ખારવેલે મગધ ઉપર ચડાઈ કરી, વિજય મેળવી પોતાની જે જિનપ્રતિમા પાછી મેળવી અને એની પ્રતિષ્ઠા તે કાળે આ ખંડગિરિ ઉપર વિશાળ જિનમંદિર બાંધીને કરવામાં આવી હશે એમ મનાય છે. કેટલાંક ધર્મસ્થળોમાં બને છે તેમ અન્ય ધર્મના લોકો એના પર અતિક્રમણ કરતા હોય છે. અહીં ખંડિંગરિમાં પણ એ પ્રમાણે બન્યું છે. અહીં બારાભુજાજી ગુફા તથા નવમુનિ ગુફામાં એ પ્રમાણે થયું છે. એમાં તીર્થંકર પાર્શ્વનાથ ભગવાનની ખડ્ગાસનમાં દિગંબર પ્રતિમા છે. એના પર રંગ લગાડી, વસ્ત્ર પહેરાવી એમની હિંદુ દેવ તરીકે પૂજા થવા લાગી છે. તેવી જ રીતે ચક્રેશ્વરી માતા તથા અજિતા માતાને કાળો રંગ લગાડી, વસ્ત્ર પહેરાવી દુર્ગા માતા અને કાલી માતા તરીકે પૂજા ચાલુ થઈ છે. પૂજારીઓ માટે એ આવકનું સાધન થઈ ગયું છે. વળી ગુફાની બહારના આંગણામાં શંકર ભગવાનની એક નાની દેરી બાંધવામાં આવી છે અને ત્યાં પૂજા-આરતી થવા લાગ્યાં છે. આથી એટલો ભાગ તે હિંદુ તીર્થ છે એવી ભ્રામક માન્યતા પ્રચલિત કરાઈ રહી છે. પરંતુ એ જ ગુફામાં બાકીમાં બધા ભાગમાં તીર્થંકરોની અને શાસનદેવીની મૂર્તિઓ દીવાલમાં કંડારેલી જોઈ શકાય છે. દિગંબર સમાજ હવે સાવચેત થઈ ગયો છે અને ખંગિરિ ઉપરનાં બાકીનાં મંદિરોની આસપાસ કોટ કે જાળી કરીને તાળાં મારી દેવાયાં છે. વળી જીર્ણોદ્વાર પણ ચાલુ થઈ ગયો છે. એક મંદિરમાં એના મોટી જાળી જેવા દરવાજે ચોકીદારે અંદરથી તાળું માર્યું હતું. અંદર એક દિગંબર મુનિ ભગવંત બેઠા હતા અને બે માણસો એમની દોરવણી પ્રમાણે ચિત્રસજાવટનું કામ કરતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy