SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ संसग्गि असाहु राइहिं। ભગવાન મહાવીર રાજાઓનો સંસર્ગ સારો નથી ભગવાન મહાવીરે કહ્યું છે કે સાધુઓએ રાજા વગેરેનો સંસર્ગ રાખવો એ ઇષ્ટ નથી. સાધુઓને એથી અસમાધિ થાય છે. ભગવાન મહાવીરે કેટલી દીર્ઘદૃષ્ટિપૂર્વક આ વાણી ઉચ્ચારી છે ! હકીકતમાં પોતે રાજકુમાર હતા, છતાં આવું વચન એમણે ઉચ્ચાર્યું છે ! વસ્તુતઃ આપણા બધા તીર્થકરો રાજવી અથવા રાજકુમાર હતા. એમાં ત્રણ તીર્થકરો શ્રી શાન્તિનાથ ભગવાન, શ્રી કુંથુનાથ ભગવાન અને શ્રી અરનાથ ભગવાન તો પોતે છ ખંડના ધણી, ચક્રવર્તી હતા. કોઈ ડૉક્ટર એમ કહે કે ડૉક્ટરો સાથે સંબંધ રાખવા જેવો નથી, અથવા કોઈ વકીલ, કોઈ એન્જિનિયર, કોઈ અધ્યાપક કે કલાકાર પોતાના જ વર્ગ માટે આવું વચન ઉચ્ચારે તો તે કેટલું વિચિત્ર લાગે ! પરંતુ ભગવાને પોતે જ્યારે આવું વચન ઉચ્ચાર્યું છે ત્યારે તો એ અવશ્ય અર્થગંભીર હોવું જોઇએ. સૂત્રકૃતાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના બીજા અધ્યયનના બીજા ઉદ્દેશમાં આ ગાથા નીચે પ્રમાણે છે: उसिणोदगतत्तभोइणो धम्मट्टियस्स मुणिस्स हीमतो। संसग्गि असाहु राइहिं असमाही उ तहागयस्स वि ॥ [ઉષણ તપ્ત જળ વાપરનાર, ધર્મમાં સ્થિર, લજ્જાવાન (અસંયમ પ્રતિ) એવા મુનિનો રાજાદિક સાથેનો સંસર્ગ સારો નથી. તેવા સાધુને અસમાધિ થાય છે.] અહીં મુનિને માટે જે વિશેષણો વાપર્યા છે તે પ્રયોજનપૂર્વક છે. ઉષ્ણ અર્થાત્ તપ્ત જળ વાપરનાર એટલે કાચું પાણી નહિ વાપરનાર મુનિ આચારસંપન્ન હોવા જોઇએ. ધર્મનિષ્ઠ મુનિ ધર્મના મર્મને બરાબર જાણનાર હોવા જોઇએ. લજ્જાવાન એટલે કે અસંયમ પ્રતિ લજ્જાવાન. જે મુનિને કોઈ પ્રસિદ્ધિ કે મહત્તા જોઇતી નથી એટલે કે જે મુનિ અંતર્મુખ રહે છે અને પોતાનાં સંયમ, સ્વાધ્યાય, તપશ્ચર્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy