SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ संसग्गि असाहु राइहिं । વગેરેમાં મગ્ન હોય છે એવા મુનિને રાજાના સંસર્ગની કોઈ આવશ્યકતા નથી, કારણ કે પોતે સ્વાધીન છે અને મોક્ષપ્રાપ્તિનું પોતાનું ધ્યેય સ્પષ્ટ છે. ભગવાને આમ જે કહ્યું છે તે નિશ્ચયનયની દૃષ્ટિ સમજવાનું છે. રાજા, મંત્રીઓ, મિનિસ્ટરો, રાજકીય નેતાઓ વગેરેના સંપર્કમાં રહેવાથી તેમની અને તેમના કર્મચારીઓની સાધુ મહારાજ પાસે અવરજવર રહ્યા કરે છે. ઉભય પક્ષે લાભની કેટલીયે યોજનાઓ વિચારાય છે. આ બધામાં ચિત્ત વધુ સમય રોકાયેલું રહે છે. કેટલીક વાર એવી ઘટનાઓ બને છે કે જેથી અસ્વસ્થ પણ થઈ જવાય છે. આથી સાધુને માટે આર્તધ્યાન અને રોદ્રધ્યાનનાં નિમિત્તો ઊભાં થાય છે. પછી વિચારે ચડી ગયેલું ચિત્ત શાસ્ત્રના અધ્યયનમાં પરોવાતું નથી અથવા પરોવાતાં વાર લાગે છે. સ્વાધ્યાય માટે ક્યારેક પૂરતો સમય રહેતો નથી. કેટલીક વાર રાજાઓ, મંત્રીઓ રાતને વખતે મળવા આવે છે કે જેથી સામાન્ય લોકોની નજરે તેઓ ન પડે. પરંતુ એથી સાધુ મહારાજને ઉજાગરો થાય છે. પછી ધ્યાન કે આત્મચિંતન માટે સમય રહેતો નથી. આવશ્યક ક્રિયાઓ પણ આઘીપાછી કરવી પડે છે. અથવા માંડી પણ વળાય છે. એટલે જ રાજાઓના કે રાજદ્વારી પુરુષોના સંપર્કમાં ન રહેવું એ સાધુ ભગવંતો માટે હિતાવહ છે. ભગવાને તો એથી આગળ વધીને એમ કહ્યું છે કે રાજપિંડ પણ સાધુને ન ખપે એટલે કે સાધુથી રાજમહેલમાં ગોચરી વહોરવા માટે ન જવાય. રાજા કુમારપાળે પોતાના ધર્મગુરુ શ્રી હેમચંદ્રાચાર્યના કાળધર્મ પ્રસંગે એમની ચિતાને અગ્નિદાહ આપતી વેળાએ આંખમાં આંસુ સાથે કહ્યું હતું કે “હું કેવો અભાગી કે રાજા થયો. એથી મારા ગુરુ મહારાજને ગોચરી વહોરાવવાનો લાભ મને ક્યારેય ન મળ્યો.” સાધુઓ રાજમહેલમાં ગોચરી માટે ન જાય એટલે કે તેઓ રાજમહેલમાં આંટાફેરા કરતા ન થાય એ બહુ મહત્ત્વનું છે. વળી રાજકારણ એ ખટપટનું ક્ષેત્ર છે. રાજા ભલે પ્રતાપી, સુશીલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy