SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ પ.પૂ.વ.શ્રી મિત્રાનંદસૂરિજી મહારાજ ૧૫૩ અનુમોદનીય અને ઉદાહરણરૂપ છે. પ. પૂ. શ્રી પુણ્યપાલસૂરિજીએ યોગ્ય જ કહ્યું છે કે પરમ પૂજ્ય મહારાજ શ્રી મિત્રાનંદસૂરિજીની સેવાભક્તિમાં ખડે પગે રહેનારા, પડછાયાની જેમ સતત સાથે જ રહેનારા મુનિ શ્રી ભવ્યદર્શન વિજયગણિ તથા વૃદ્ધ વયે પણ સતત વૈયાવચ્ચમાં નિરત મુનિશ્રી દેવરત્નવિજયજીની ભક્તિ અને સમર્પિતતા ખરેખર દાદ માગી લે તેવી હતી. પ. પૂ. મિત્રાનંદસૂરિજીનો દીક્ષાપર્યાય છ દાયકાથી અધિક છે. આટલો સુદીર્ઘ દીક્ષા પર્યાય પ્રાપ્ત થવો, સંયમની આવી સરસ આરાધના થવી અને સાથે સાથે ગહન જ્ઞાનોપાસના થવી એ પણ મોટા સદ્ભાગ્યની વાત છે. આટલા દીર્ઘ દીક્ષા પર્યાય દરમિયાન મુંબઈ ઉપરાંત ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં વિવિધ સ્થળે ચાતુર્માસ દરમિયાન અને શેષકાળમાં એમણે અનેકને પ્રતિબોધ પમાડ્યો હતો. એટલે જ એમની અંતિમ યાત્રામાં ગામેગામથી હજારો ભક્તો આવી પહોંચ્યા હતા અને ગુણાનુવાદની સભામાં પણ એમને ભવ્ય અંજલિ અપાઈ હતી. આવા મહાન આચાર્ય ભગવંતના જીવનમાંથી આપણે પ્રેરણા મેળવીએ ! એમના ભવ્યાત્માને નતમસ્તકે સાદર ભાવપૂર્ણ વંદના ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy