SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ * ૫.પૂ.સ્વ.શ્રી મિત્રાનંદસૂરિજી મહારાજ ૧૪૯ " i - હતું. મહારાજશ્રીનું સંસારી નામ મનુભાઈ હતું. એમના પિતાનું નામ છોટુભાઈ અને માતાનું નામ સોનુબહેન હતું. મહારાજશ્રીએ હાઇસ્કૂલ સુધીનો અભ્યાસ કર્યો હતો, પરંતુ મેટ્રિક થતાં પહેલાં એમનું મન ધર્મ તરફ વળ્યું હતું. એ દિવસોમાં પ. પૂ. ગચ્છાધિપતિ શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ અને અન્ય મહાત્માઓ મહારાષ્ટ્રમાં વિચરતા હતા ત્યારે એમનાં વ્યાખ્યાનો સાંભળીને અને એમનાં સંપર્કમાં આવીને કિશોર મનુભાઇને દીક્ષા લેવાના કોડ જાગ્યા હતા. આથી એમને પંદર વર્ષની વયે વિ. સં. ૧૯૯૯માં મહા સુદ ૬ના રોજ અમદાવાદમાં જ્ઞાનમંદિરમાં સિદ્ધાન્ત મહોદધિ, કર્મસિદ્ધાન્તના નિષ્ણાત, ચારિત્રચૂડામણિ પ. પૂ. શ્રી પ્રેમસૂરિદાદાના હસ્તે દીક્ષા આપવામાં આવી હતી. એમનું નામ મુનિ શ્રી મિત્રાનંદજી રાખવામાં આવ્યું હતું અને એમને પ. પૂ. પંન્યાસ શ્રી પદ્મવિજયજીના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. મહારાજશ્રીનું કુટુંબ જ ધર્મના રંગે રંગાયું હતું. ત્યાર પછી એમનાં માતુશ્રીએ, બહેને, ફોઇએ, કાકીએ એમ ઘણાએ એમના પરિવારમાંથી દીક્ષા લીધી હતી. દીક્ષા પછી મહારાજશ્રીએ શાસ્ત્રાભ્યાસ એવો ગહન કર્યો કે અનેક ગાથાઓ એમણે કંઠસ્થ કરી લીધી હતી અને કયા ગ્રંથમાં કયા વિષયનું ક્યાં નિરૂપણ કરવામાં આવ્યું છે તે તરત કહી આપતા. એટલે જ તો એમને જીવંત લાયબ્રેરી જેવા કહેવામાં આવતા. પ. પૂ. શ્રી પ્રેમસૂરીશ્વરજીદાદા, પ. પૂ. ગચ્છાધિપતિ શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ અને પ. પૂ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજની કૃપાનો, દિવ્ય આશિષનો લાભ એમને સતત મળતો રહ્યો હતો. દીક્ષા પછી તેઓ શાસ્ત્રાભ્યાસ અને તપશ્ચર્યામાં આગળ વધતા ગયા હતા. એટલે વિ. સં. ૨૦૩૧માં સાવરકુંડલામાં ગણિપદ, For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy