SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ શિષ્યો છે, જેમાંના એક મુખ્ય તે શ્રી ભવ્યદર્શનવિજયજી મહારાજ છે. શ્રીપાલ નગરમાં એમનું ચાતુર્માસ છે. ભાડૂતી ડોળીવાળાને બદલે શિષ્યોને પોતાના ગુરુભગવંતની ડોળી ઊંચકતા જોઇને તેમની ગુરુભક્તિ માટે મને બહુમાન થયું હતું. ત્યારે જાણવા મળ્યું કે ડોળીમાં બેઠેલા બીમાર મહાત્મા શ્રી મિત્રાનંદસૂરિજીને ડોકના મણકાની પાછળ ગાંઠ થઈ છે એટલે એમના જ્ઞાનતંતુઓ મંદ થઈ ગયા છે. મસ્તક બરાબર કામ કરે છે, પરંતુ બાકીનું શરીર અપંગ જેવું થઈ ગયું છે. તેઓ જાતે ઊઠીબેસી શકતા નથી. તેમને ઊંચકીને બેસાડવા પડે છે. પરંતુ તેમનું મગજ બરાબર ચાલે છે. મનથી તેઓ અત્યંત સ્વસ્થ છે. એમને બધું યાદ બરાબર રહે છે. હજારો ગાથાઓ તેમને કંઠસ્થ છે. શાસ્ત્રોનો એવો ઊંડો અભ્યાસ એમણે કરી લીધો છે કે કોઈ પણ ગ્રંથના વિષયોસૂત્રો વગેરે વિશે પૂછો તો તરત બરાબર સંદર્ભ સાથે સમજાવે છે. ત્યાર પછી હું અને મારાં પત્ની અને બંને શ્રીપાલનગરના ઉપાશ્રય એમને વંદન કરવા ગયાં. ત્યારે અડધા કલાકની વાતચીતમાં એમના અપાર વાત્સલ્યનો અમને અનોખો અનુભવ થયો તથા એમના અગાધ જ્ઞાનની પણ પ્રતીતિ થઈ. ત્યારે શ્રીપાલનગરમાં ચાતુર્માસ દરમિયાન તેઓ વ્યાખ્યાન ઉપરાંત તત્ત્વાર્થસૂત્રવિશે વાચના પણ આપતા હતા. મહારાજશ્રીનો જન્મ વિ. સં. ૧૯૮૪માં પ્રથમ શ્રાવણ મહિનામાં સુદ ૧ના રોજ મહારાષ્ટ્રમાં મસૂર નામના ગામમાં થયો હતો. વ્યવસાય અર્થે એમના વડવાઓ ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં જઇને વસ્યા હતા. એવાં કુટુંબોમાં બાળકોને ગુજરાતી અને મરાઠી બંને ભાષા સરસ લખતાં-બોલતાં આવડતી હોય છે. મહારાજશ્રીનું પણ એ રીતે ગુજરાતી અને મરાઠી ઉપર સારું પ્રભુત્વ હતું. દીક્ષા લીધા પછી એમણે સંસ્કૃત અને પ્રાકૃત ભાષા પર પ્રભુત્વ મેળવી લીધું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy